SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમજીને એમનો દીકરો શેખ શબ્બત ૧૭૯૩માં ત્યાં રહેવા ગયો. ત્યારથી અબુ ધાબી અમીરાતનું પાટનગર બની ગયું, પરંતુ પાટનગર એટલે ? સમગ્ર રાજયમાં જ્યાં વસ્તી જ નહિ જેવી ત્યાં આ પાટનગરમાં કેટલી હોય ? બે- અઢી હજારની ત્યારે વસ્તી હતી અને તે પણ ગરીબ આરબોની. અમારી વાતચીત દરમિયાન આ ખાડીના વિસ્તારોમાં ચાલી રહેલા પુરાતત્ત્વ સંશોધનની વાત નીકળી. તેલ કાઢવા માટે ખોદકામ તો કરવું પડે. એ ખોદકામ કરતાં કરતાં અહીં પ્રાચીન અવશેષો નીકળ્યા છે. સિંધમાં મોહેં-જો દડો અને હડપ્પાના અવશેષો મળ્યા પછી ગુજરાતમાં લોથલ અને કચ્છમાં ધોળાવીરાના અવશેષો જે મળ્યા છે તે ઉપરથી એમ મનાય છે કે ચારપાંચ હજાર વર્ષ પૂર્વે અરબી સમુદ્રની નજીકના આ પ્રદેશોમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વસવાટ હશે. આજે જે રણપ્રદેશ છે તે ત્યારે કદાચ નહિ હોય. સમુદ્રની સીમા પણ આજે છે તેના કરતાં આઘીપાછી હશે. અબુ ધાબીમાં થયેલાં સંશોધનોની ઘટના રસિક છે. પહેલાં આવા અવશેષો બહરીનમાં મળી આવ્યા. એ માટે ડેન્માર્કના પુરાતત્ત્વવિદોની એક ટુકડી ખોદકામ કરવા લાગી હતી. ત્યાં પાંચ હજાર વર્ષ પ્રાચીન દીવાલો સહિત અવશેષો મળી આવ્યા. દરમિયાન ૧૯૫૦માં ઓઈલ કંપનીએ અબુ ધાબીમાં તેલ માટે ખોદકામ ચાલુ કર્યું હતું. એમાં કામ કરતા એક અંગ્રેજ ઑફિસરે પોતાના મિત્રોને જણાવ્યું કે બહરીન જેવા અવશેષો અહીં ‘ઉમ્મ અલ નાર” નામના ટાપુમાં પણ જણાય છે. કેટલાક ખાડા કબરના આકારના નીકળ્યા છે. આ વાત ડેન્માર્કના પુરાતત્ત્વવિદોને જણાવવામાં આવી. શેખે પણ આ કામમાં રસ લઈ ખર્ચની મંજૂરી આપી. એ માટે યોજના થઈ. વિશાળ વિસ્તારમાં ખોદકામ કરતાં ચાર-પાંચ હજાર વર્ષ જૂના અવશેષો અબુ ધાબીમાં પણ મળ્યા. એમાં કેટલીક આકૃતિ ઊંટની છે. એટલે ત્યારે પણ વાહન તરીકે ઊંટનો ઉપયોગ થતો હશે, એની સાબિતી મળે છે. વળી સાચાં મોતી પણ મળી આવ્યાં. એથી જણાય છે કે અરબસ્તાનની આ ખાડીમાં ત્યારે પણ મોતી ધરાવતી ઈસ્ટર માછલીઓ હશે. આ ઉપરાંત દરિયાઈ માર્ગે ભારત સાથે વ્યવહાર હશે એવા સંકેતો પણ મળ્યા. ઉમ્મ અલ નારનાં સંશોધનોથી પ્રભાવિત થઈને શેખ ઝાયેદે એ નિષ્ણાતોને અલ આઈનમાં પણ પણ ખોદકામ કરવાનું કામ સોંપ્યું. ત્યાંથી પણ પથ્થરનાં વાસણો, ઓજારો વગેરે મળી આવ્યાં. એક ડુંગર ઉપર ઘણી કબરો મળી આવી. અલ આઈનથી થોડે દૂર ખોદતાં એક આખા નગરના અવશેષો મળી આવ્યા. એક સ્થળે ચકમકના પથ્થરોનું કારખાનું મળ્યું. આ બધા અવશેષો દર્શાવે છે કે અત્યારે જ્યાં રણવિસ્તાર અને છૂટીછવાઈ અબુ ધાબીની સાંજ ૯ ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy