SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ પડે. પણ રણમાં સપાટ રેતીમાં શું કરવું ? રણમાં સરહદ પાંચપંદર કિલોમીટર આમતેમ હોય તો તેથી શો ફરક પડવાનો છે ? જૂના વખતમાં તો પોતાના રાજ્યની સરહદ જોવા જવાનું પણ કષ્ટભર્યું હતું. એટલે જ્યાં રેતીનો રંગ બદલાય ત્યાં સુધી પોતાનું રાજ્ય એવી સમજૂતી શેખો વચ્ચે સધાયેલી. જ્યાં કશું હોય જ નહિ ત્યાં સરહદનો સંઘર્ષ કરવાથી લાભ કરતાં નુકસાન વધુ થાય. એંસી હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અબુ ધાબીના રાજ્યમાં મુખ્યત્વે રણપ્રદેશ છે. એમાં રેતીના મોટા મોટા ડુંગરા જોરદાર પવનની ભમરી આવે ત્યારે એની સાથે એક સ્થળેથી ઊડીને બીજે સ્થળે એવા ઠલવાય કે જીવતો માણસ દટાઈ મરે. ડમરી આવે ત્યારે જીવ બચાવવા દોડવું પડે. દિવસે સખત ગરમીવાળી આવી વિકટ પરિસ્થિતિમાં જૂના વખતમાં તંબુઓમાં રહેતા અહીંના બેદોયુઈન (Bedouin) જાતિના લોકોએ સૈકાઓથી બહુ કપરું જીવન ગુજાર્યું છે. આ રણપ્રદેશમાં બે મોટા રણદ્વીપ તે અલ આઈન (Al Ain) અને લિવા (Liwa) માં ફળદ્રુપ જમીન અને હરિયાળી છે. શેખનું રહેઠાણ પણ ત્યાં જ રહેતું. અબુ ધાબીનું નામ કેવી રીતે પડ્યું તે વિશે એવી રસિક દંતકથા છે કે ઈ.સ. ૧૭૬૧માં લિવાના શેખ ધિયબ બિન ઈસાએ પોતાને માટે શિકાર કરી લાવવા માટે એક ટુકડી મોકલી હતી. રણમાં શિકાર કરવા નીકળવું હોય તો રેતીમાં પડેલાં પશુઓનાં પગલાંને અનુસરતાં જવું પડે. શિકારીઓ રાત્રિમુકામ કરતાં કરતાં આગળ વધતા ગયા. એમ કરતાં તેમણે એક દિવસ હરણનાં પગલાં જોયાં. પગલાંને અનુસરતા તેઓ સમુદ્રકિનારાના પ્રદેશ તરફ પહોંચ્યા. એક દિવસ સવારે ગાઢ ધુમ્મસ હતું. ધુમ્મસ વિખરાતાં તેને દૂર દૂર હરણોનું એક ટોળું ઝરણામાં પાણી પી રહેલું દેખાયું. તેઓ એ બાજુ દોડ્યા. એટલામાં હરણ ભાગી ગયાં, પરંતુ રણવિસ્તારમાં પીવાલાયક મીઠું પાણી જોવા અને પીવા મળ્યું એથી તે આનંદિત થઈ ગયા. તેઓએ આવીને શેખને આ સમાચાર આપ્યા. શેખ એ જાણીને બહુ રાજી થયા. એમણે એ જગ્યાને “અબુ ધાબી' એવું નામ આપ્યું. અરબીમાં અબુ એટલે પિતા અને ધાબી એટલે હરણ. અબુ ધાબી એટલે કે હરણોના પિતાની, વડીલોની આ જગ્યા એટલે કે હરણોની પિતૃભૂમિ છે એવો અર્થ થાય. ત્યાં પીવાલાયક મીઠું પાણી છે એટલે ત્યાં લોકોને વસાવી શકાય. વળી સમુદ્રકિનારાનો આ પ્રદેશ છે અને એને અડીને એક ટાપુ પણ છે. શેખ ધિયબ બિન ઈસાએ ત્યાં નગર વસાવ્યું. શેખને પોતાને મોટી ઉંમરે લિવા છોડીને ત્યાં રહેવા જવાનું ગમ્યું નહિ, પરંતુ સમુદ્રકિનારાનું મહત્ત્વ ૭૦ % પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy