________________
લાલચંદ : એ તો થવાશે; પણ હવે લગ્નનું શું? આ વૈશાખમાં કહો તો
- વૈશાખમાં, ને નહિ તો પછી આવતા માગશરમાં. બિપિનચંદ્ર : મારા બાપુજીને પૂછવું જોઈએ. લાલચંદ : એમાં એમને શું પૂછવાનું ? તમે જે નક્કી કરો તેમાં એ કંઈ થોડા
ના પાડવાના હતા ? તમારો પોતાનો શો વિચાર છે ? બિપિનચંદ્ર : હજુ બે-ત્રણ વર્ષ સુધી નહિ. હું સોલિસિટર થઈ જાઉં પછી. લાલચંદ : એ તો બહુ લાંબી વાત થઈ. અમારે પણ અમારો વિચાર કરવાનો
ને ? તમે જાણો છો કે હવે મારી તબિયત સારી રહેતી નથી. બિપિનચંદ્ર : હં.. લાલચંદ : અને નલિનની બા પણ નથી. એટલે મારો વિચાર તો બંને ટાણાં
સાથે જ ઉકેલી નાખવાનો છે. એવામાં મોહનલાલ એક હાથમાં કાગળ અને બીજા હાથમાં ચરમાં રાખી કાગળમાં જોતાં જોતાં
પ્રવેશે છે.) બિપિનચંદ્ર : પણ આપ તો હજુ નલિનકાન્તની ફરી સગાઈ કરવાનો વિચાર
કરો છો ! લાલચંદ : (આનંદમાં આવી વાત કરી તમને ? બિપિનચંદ્ર હ; પણ એ બહુ ખોટું કરો છો.
લાલચંદ : એમાં ખોટું શું? બિપિનચંદ્ર : કંચન સાથે સગાઈ તોડો છો તે. એક બિચારી ગરીબ નિરાધાર
છોકરીની જિંદગી વિનાકારણ ધૂળમાં મળી જશે. લાલચંદ : એમાં ના સમજો તમે. બિપિનચંદ્ર : પણ આટલાં વરસે તમે સગાઈ તોડો. મોહનલાલ : બીજા કયાં નથી તોડતા ? બિપિનચંદ્ર : પણ તે આ રીતે ? આટલાં વરસ એ અહીં આવતી-જતી રહી,
નલિનકાન્ત એની સાથે હયફર્યા, અને હવે, અત્યારે એના બાપ
જીવતા નથી એ દશામાં મોહનલાલ : એક રીતે તમારું પૉઇન્ટ સાચું છે બિપિનચંદ્ર, પણ.... લાલચંદ : શું ધૂળ સાચું? ભણેલા માણસને ટેકો દેવામાં બહુ જોખમ હોય
છે, મોહનલાલ ! મોહનલાલ : તમારી વાતેય સાચી છે, શેઠ સાહેબ. પણ હું એમ કહેતો હતો,
કે સમાસમામાં પણ ફેર હોયને?
શ્યામ રંગ સમીપે ન ૪ર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org