________________
ઈ. સ. ૧૯૬૦ની આસપાસ હીરાબહેને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતી વિષયના એક્સટર્નલ લેક્ચ૨૨ તરીકે મારા નામની ભલામણ કરી. દર અઠવાડિયે બેથી ત્રણ લેક્ચર એ યુનિવર્સિટીમાં લેવાનું મારે નક્કી થયું. એને લીધે એ યુનિવર્સિટીના સ્ટાફના સભ્યો સાથે મારે વધુ પરિચયમાં આવવાનું બન્યું. જ્યારે પણ લેક્ચર લેવા જાઉં ત્યારે પ્રિન્સિપાલ ફાટકને બેચાર મિનિટ માટે પણ મળવા જવાનું રહેતું હતું. સુંદરજીભાઈ બેટાઈ પણ ત્યારે ત્યાં બેઠેલા હોય. આ રીતે પ્રિન્સિપાલ ફાટક સાથે મારે ગાઢ સંબંધ થયો અને પ્રતિવર્ષ એમ.એ.ના લેક્ચ૨ માટે તેઓ મને નિમંત્રણ મોકલતા રહ્યા. આઠેક વર્ષ એ રીતે એ યુનિવર્સિટી સાથે એમ.એ.નાં લેક્ચર્સને નિમિત્તે હું સંલગ્ન રહ્યો. દરમિયાન એમ.એ.ના પરીક્ષક તરીકે પણ એ યુનિવર્સિટીમાં મારી નિમણૂક થવા લાગી અને એના ગુજરાતી બોર્ડના સભ્ય તરીકે પણ મને નિયુક્ત કરવામાં આવ્યો. શ્રીમતી શારદાબહેન દીવાન ત્યારે રજિસ્ટ્રાર હતાં અને ઈશ્વરભાઈ કાજી ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા. ઈશ્વરભાઈ કાજીને મારે વારંવાર મળવાનું થતું. તેઓએ હીરાબહેનની ભલામણથી તે વખતે મને એ યુનિવર્સિટીમાં કોઈકનું ગુજરાતીમાં લખેલું પુસ્તક ભાષાની દૃષ્ટિએ સુધારવા માટે આપ્યું. એ પુસ્તક તે બીજા કોઈકના પુસ્તકમાંથી કરેલી સીધી ઉઠાંતરી છે એવું મેં જ્યારે ઈશ્વરભાઈ કાજીને બતાવ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પુસ્તક સુધારવાનું આ કામ મને સોંપ્યું તે બદલ તેઓ રાજી થયા અને તે લખના લેખકને બોલાવીને તેમણે આ ઉઠાંતરી બતાવી અને આખોય ગ્રંથ ફરીથી નવેસરથી લખાવ્યો. આથી કાજીસાહેબ સાથે પણ મારે ગાઢ પરિચય થયો. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં હું ગયો હોઉં ત્યારે કાજીસાહેબને નમસ્તે કર્યા વિના પાછો ફરું તો તેમને માઠું લાગતું.
યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મુંબઈ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી માટે ગુજરાતી વિષયમાં પ્રોફેસરની પોસ્ટની મંજૂરી આપી, પરંતુ સરકારી કાર્યવાહીના કારણે તેનો અમલ થતાં તો પાંચેક વર્ષ નીકળી ગયાં. પરિણામે એ સ્થાનની ઉત્સુકતાપૂર્વક રાહ જોનાર એવા મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ વગેરે કેટલાક ધુરંધર પ્રાધ્યાપકો, નિવૃત્તિવય વટાવી ચૂક્યા. એ સ્થાન તેમને મળ્યું નહિ. ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોશીને પ્રોફેસરનું સ્થાન મળ્યું હતું. એટલે પ્રોફેસ૨ના પદ માટેના ઉમેદવાર ઉમાશંકરની કક્ષાના હોવા જોઈએ એવી મોટી અપેક્ષા ત્યારે બંધા ઈહતી. એટલે આવું માનભર્યું પદ સહેલાઈથી કોઈના હાથમાં ન જવા દેવું એવી લાગણી વડીલ અધ્યાપકોમાં પ્રવર્તીત હતી. ત્રીસેક વર્ષ પહેલાંની એ પરિસ્થિતિ ઉપર આજના પ્રોફેસરોની કક્ષાના સંદર્ભમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એ
સ્વ. હીરાબહેન પાઠક * ૩૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org