SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈમાં લેખક-મિલનની પ્રવૃત્તિ સારી રીતે ચાલતી. પીતાંબર પટેલ એના મંત્રી હતા. તેઓ પાઠકસાહેબના વિદ્યાર્થી હતા. એટલે પાઠકસાહેબનાં વ્યાખ્યાનો તેઓ વારંવાર ગોઠવતા. લેખકમિલન પાસે એટલું ભંડોળ નહોતું કે હોલના ભાડાના રૂપિયા ખર્ચીને વ્યાખ્યાનની પ્રવૃત્તિ ચલાવે. વળી ત્યારે એવી પ્રણાલિકા પણ નહોતી. આથી અમારી ઝેવિયર્સ કોલેજના વ્યાખ્યાન ખંડમાં લેખક-મિલનનાં વ્યાખ્યાનો યોજાતાં. તે ઘણુંખરું પહેલા કે બીજે માળે રાખવામાં આવતાં. પરંતુ પાઠકસાહેબનું જ્યારે વ્યાખ્યાન હોય ત્યારે હીરાબહેનના આગ્રહથી ભોંયતળિયે કેમિસ્ટ્રીનો રૂમ અમે ખોલાવતા કે જેથી કરીને પાઠકસાહેબને દાદરો ચડવો પડે નહિ. ફરવાનું સારી રીતે મળે અને ચિત્ત બીજી વાતમાં પરોવાય તથા હળવું થાય એવા આશયથી હીરાબહેને પાઠકસાહેબ માટે એક સરસ ઉપાય શોધી કાઢ્યો હતો. તેઓ સવારે કે સાંજે બાબુલનાથની એચ રૂટની (હાલ ૧૦૩ નંબરની) ખાલી બસમાં બેસે અને ઠેઠ કોલાબા કે આર. સી. ચર્ચ સુધી એક કલાકે પહોંચે ત્યાં તેઓ બસની અંદર જ બેસી રહે અને એ જ બસમાં પાછા બાબુલનાથ આવી પહોંચે. આવી રીતે તેઓ જુદે જુદે સ્થળે જતા અને એ જ બસમાં પાછા ફરતા. જવાનું પ્રયોજન બીજું કંઈ જ નહિ. બસ-રાઈડમાં આ રીતે તેમના ત્રણેક કલાક આનંદમાં પસાર થતા. દરેક સ્ટૉપ ઉપર મુસાફરોની ચડ-ઊતર, અવર-જવર જોવા મળે. વૃદ્ધાવસ્થામાં પાઠકસાહેબ માટે મુંબઈ નગરીના જીવનમાં આ એક સારો ઉપાય હોત. ૧૯૫૫માં પાઠકસાહેબનું અવસાન થયું તે દિવસે પણ તેઓ બસમાં ફરી પાછા બાબુલનાથ ઊતર્યા અને ત્યાંથી ચાલતાં ચાલતાં ઘર પાસે પહોંચવા આવ્યા તે પહેલાં જ મકાનના દરવાજા પાસે તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો. તેઓ ત્યાં જ અવસાન પામ્યા. એ પ્રસંગે હીરાબહેને ઘણું કલ્પાંત કર્યું હતું. ત્યાર પછી પાઠકસાહેબના શબને જ્યારે લઈ જવામાં આવ્યું હતું ત્યારે પણ હીરાબહેન શબને વળગી પડ્યાં હતાં, અને આર્તસ્વરે બોલતાં હતાં, “હું તમને નહિ લઈ જવા દઉં.. તમે મને મૂકીને કેમ ચાલ્યા જાવ છો .' હીરાબહેનને આ ઘટનાથી કેટલો ઊંડો આઘાત લાગ્યો હતો તેની ત્યારે પ્રતીતિ થઈ હતી. પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેન ઘણાં વ્યાકુળ રહેતાં. સાંત્વન માટે તેઓ તત્ત્વજ્ઞાનના ગ્રંથો વાંચતાં, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોનું રહસ્ય સહેલાઈથી સમજાતું નહીં, કારણ કે કૉલેજના અભ્યાસ દરમિયાન એમણે સંસ્કૃતનો વિષય રાખ્યો નહોતો. એ અરસામાં એકાદ વખત ઉમાશંકર જોશીએ હીરાબહેનને કહેલું કે “તમારે ઉપનિષદો વાંચવા હોય તો પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા પાસે જજો. હું સ્વ. હીરાબહેન પાઠક - ૩૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy