SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ આ રીતે પરસ્પર મૈત્રી ચાલી, પછી તેઓએ લગ્ન કરી લીધાં. - હીરાબહેને જ્યારે પાઠકસાહેબ સાથે લગ્ન કર્યા ત્યારે ઘણો ઊહાપોહ થયો હતો. (આજે આવી ઘટના બને તો એટલો ઊહાપોહ કદાચ ન થાય.) એ દિવસોમાં ‘વંદેમાતરમ્' દૈનિકમાં શામળદાસ ગાંધી અને યશ શુક્લે આ વિષયને બહુ ચગાવ્યો હતો. ગુજરાતના નામાંકિત, પ્રતિષ્ઠિત સાહિત્યકારો, કેળવણીકારો વગેરેના અંગત અભિપ્રાયો મેળવીને રોજેરોજ તેઓ છાપતા. ઘણાંખરાંના અભિપ્રાય આ લગ્નની વિરુદ્ધ આવતા, તો કેટલાંકના અભિપ્રાયો એમની તરફેણમાં પણ આવતા. વળી ‘વંદેમાતરમુમાં એ દિવસોમાં પાઠકસાહેબ અને હીરાબહેનનાં લગ્ન ઉપર કટાક્ષ કરતાં કાર્ટુનો પણ છપાયાં હતાં. એ દિવસોમાં હું ઝેવિયર્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો અને રામનારાયણ પાઠક અમારી કૉલેજમાં વ્યાખ્યાન આપવા માટે આવેલા. વ્યાખ્યાનના અંતે સાહિત્ય વિશે પ્રશ્નોત્તરી હતી. તેમાં કોઈક વિદ્યાર્થીએ પાઠકસાહેબ પાસે જઈને એમના હાથમાં સીધો પોતાનો પ્રશ્ન ચિઠ્ઠીમાં લખીને મૂક્યો. પાઠકસાહેબ તો આવે એવા જ પ્રશ્રો વાંચતા અને તરત જવાબ આપતા. આ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ગુરુથી પોતાની શિષ્યા સાથે લગ્ન થઈ શકે ?” આ પ્રશ્ન સાંભળતાં જ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. અમારા ઝાલાસાહેબ અને મનસુખલાલ ઝવેરી ઊભા થઈ ગયા અને બોલ્યા કે “કોઈએ અંગત પ્રશ્ન પૂછવાનો નથી. પરંતુ પાઠકસાહેબે ખેલદિલીથી કહ્યું, “કોઈ વિદ્યાર્થીઓને અટકાવશો નહિ.” પછી એમણે કહ્યું: “આ વિદ્યાર્થીએ જે પ્રશ્ન કર્યો છે તે અંગે મારો ઉત્તર એ છે કે ગુરુથી શિષ્યા સાથે લગ્ન થઈ શકે નહિ. મારી અંગત વાત જુદી છે. તેનાં કારણોની ચર્ચામાં હું નહિ ઊતરું. પણ હું એમ માનું છું કે ગુરુથી શિષ્યા સાથે લગ્ન ન થઈ શકે. પાઠકસાહેબ એ પ્રસંગે જરા પણ અસ્વસ્થ થયા નહોતા કે ઉશકેરાયા નહોતા. સ્વબચાવ કરવાને બદલે એમણે પોતાનો જવાબ સિદ્ધાંતની દૃષ્ટિએ આપ્યો હતો. લગ્ન પછી હીરાબહેન અને પાઠકસાહેબ થોડો વખત અમદાવાદમાં રહી આવીને પછી મુંબઈમાં ગ્રાન્ટ રોડ પાસે એક ફ્લેટમાં રહેવા લાગ્યાં હતાં. કેટલોક સમય તેઓ એ ઘરમાં રહ્યાં, પરંતુ પછી પાઠકસાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ અને એ ઘરે ઘદર વધારે ચઢવાના હોવાથી તેઓ બાબુલનાથ પાસે, ભારતીય વિદ્યા ભવનની સામેની ગલીમાં નવા બંધાયેલા મકાનમાં પહેલા માળે રહેવા આવ્યાં. આ નવું ઘર તેમના માટે બધી રીતે અનુકૂળ હતું અને બંનેના જીવનના અંત સુધી એ એમનું ઘર રહ્યું. આ નવા ઘરે પાઠકસાહેબે હીંચકો પણ બંધાવ્યો હતો. પુસ્તકો રાખવા માટે જગ્યા પણ ઘણી મોટી અને અનુકૂળ હતી. વળી પાઠકસાહેબ કનૈયાલાલ સ્વ. હીરાબહેન પાઠક ૩૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy