SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત સંવેદનશીલ હતા. એમ.એ.ના વર્ગમાં ભણાવતી વખતે જ્યારે જ્યારે સરસ્વતીચંદ્ર અને કુમુદની વાત નીકળે ત્યારે તેઓ ગળગળા થઈ જતા અને એમની આંખમાંથી આંસુ વહેતાં. કોઈક વાર તો તેઓ પોતાની જાતને રોકી શકતા નહિ અને હવે પોતાનાથી વધુ બોલાશે નહિ એવો ઇશારો કરી તેઓ વર્ગ પૂરો કરી ઊભા થઈ જતા. પાઠકસાહેબ વિલસન કોલેજની પાસે જ બે મિનિટના અંતરે રહેતા એટલે કેટલીક વખત અમે એમને ઘરે મળવા જતા અને ત્યારથી હીરાબહેન સાથે પણ પરિચય થયેલો. ૧૯૫૦માં એમ.એ. થયા પછી હું આરંભમાં પત્રકારત્વના ક્ષેત્રમાં અને ત્યાર પછી કૉલેજમાં અધ્યાપનના ક્ષેત્રમાં કામ કરતો રહ્યો હતો. એમ.એ. પછી મારે પીએચ.ડી.નો અભ્યાસ કરવો હતો. નળ-દમયંતીની કથાનો વિષય મારે પીએચ.ડી. માટે રાખવો એવી ભલામણ બળવંતરાય ઠાકોરે મને કરી હતી. “મનીષા' નામના મારા સોનેટ-સંગ્રહના સંપાદન નિમિત્તે બળવંતરાયને ઘરે દર અઠવાડિયે જવાનું થતું. તેમણે નળ-દમયંતીની કથાનો વિષય સૂચવ્યો, પણ તેઓ ગાઈડ નહોતા. મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે મુંબઈમાં શરૂઆતનાં વર્ષોમાં એકમાત્ર પાઠકસાહેબ જ હતા. એટલે જે કોઈને પીએચ.ડી.નો અભ્યાસ કરવો હોય તેમણે પાઠકસાહેબ પાસે જ જવું પડે. મેં ૧૯૫૧માં નળ અને દમયંતીની કથાનો વિકાસ' એ વિષય પર પીએચ.ડી.નો અભ્યાસ કરવાનું વિચાર્યું. એ માટે પાઠકસાહેબને મળવા ઘણી વાર ગયો હતો. મારા આ વિષયમાં પાઠકસાહેબને પોતાને પણ ઘણો રસ હતો. પ્રેમાનંદ અને ભાલણના નળાખ્યાન' ઉપરાંત રામચંદ્રસૂરિકૃત “નલવિલાસ' નાટક વિશે એમણે અભ્યાસ કર્યો હતો. પરંતુ એમના માર્ગદર્શન હેઠળ હું વિધિસર મારો વિષય નોંધાવું તે પહેલાં તો તેઓ અવસાન પામ્યા. આ વિષયને નિમિત્તે પાઠકહેબને ૧૯૫૧થી ૧૯૫૫ના ગાળામાં ઘણી વાર મળવાનું થયું હતું. એટલું જ નહિ, કોઈ સભામાં કે રસ્તામાં તેઓ મળે ત્યારે મારા વિષયની ચર્ચા કરવા માટે ઊભા રહેતા. કોઈ વાર મારું ધ્યાન ન હોય તો સામેથી બોલાવતા. પરંતુ એવી દરેક વખતે હીરાબહેન વાતને વાળી લઈને મને કહેતાં, “ભાઈ, ઘરે નિરાંતે મળવા આવજોને. અહીં મારે મોડું થાય છે.” હું કહેતો, “તમારા ઘરે જ્યારે આવીએ ત્યારે ચારપાંચ જણ બેઠાં હોય અને મારી વાત સરખી થાય નહિ. અહીં રસ્તામાં બીજું કોઈ હોય નહિ એટલે પાંચ-સાત મિનિટની વાતચીતમાં પણ ઘણું જાણવાનું મળે છે.’ હું જોતો હતો કે પાઠકસાહેબ વાત કરવા ઘણા ઉત્સાહી રહેતા અને હીરાબહેનના અટકાવ્યા પછી પણ તેઓ વાત કરવાનું ચાલુ રાખતા. પાઠકસાહેબને સ્વ. હીરાબહેન પાઠક - ૩૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy