SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક, કુંજીસ્નાનની ઉપમા દયારામે ભાગવતમાંથી લીધી છે. क्वचिन्निवर्ततेऽभद्रात्क्वचिच्चरनि तत्पुनः । प्रायश्चित्तमतोऽपार्थ मन्ये कुञ्जर शौचवत् ॥ મૂળ મહીમાં રહે ને જેમ છેદન કરીએ વૃક્ષ; તેમાંથી પુનઃ પ્રગટ થાયે, જુઓ વિટપ પ્રત્યક્ષ, વાસના જડ જ્યાં લગી, તહાં લગી શાખા કર્મ; લિંગ દેહનો દહે એવો, એમાં નથી કોઈ ધર્મ કર્મ થકી બંધાયો જીવ તે કર્મે કેમ મુકાય; પકે લેપ્યું અંગ તે ક્યમ, પંક થકી ધોવાય ?' તપશ્ચર્યા ઉપરાંત પ્રાણાયામ, યજ્ઞ, મંત્ર, તીર્થયાત્રા, દાન, ધ્યાન, વ્રત વગેરે ઉપાયોની કંઈક ને કંઈક મર્યાદા હોય છે. આ બધા ઉપાયો સરળ નથી. કેટલાકમાં તનની શક્તિની, કેટલાકમાં મનની શક્તિની અને કેટલાકમાં ધનની અપેક્ષા રહે છે. કેટલાકમાં વિશિષ્ટ અધિકારની જરૂર પડે છે. એટલે એ બધા ઉપાયો કરતાં નામસ્મરણનો ઉપાય સરળ, સર્વસુલભ અને સદ્યપરિણામી છે. કવિ લખે છે : અતિ કઠિન અણંગ તે પણ કરે ધારણ કોણ; પવનરોધ પ્રયત્ન તો થાય પલાણ પ્રાણ. મખ વિષે માને ન મન જેમાં પશુની ઘાત; દ્રવ્ય પાખે ના બને અનુકૂળ નહિ એ વાત, દેશકાળ ને મંત્રાદિક અનુકૂળ સર્વ પ્રકાર; ઉણો હોય કોઈ ઉપસ્કર તો નિષ્ફળ થાય નિર્ધાર.' વ્રતાદિ કે દેહદમન કરતાં ઘટે વપુ ને વીર્ય, શાંત પામે શ્રદ્ધા તેથી જાય શુચિતા શૈર્ય વેદ ગાયત્રી કર્મનો વિપ્રને છે અધિકાર; શૂદ્રાદિકને ઘટિત નહિ તેહનો તે ક્યમ ઉદ્ધાર. દીન દુર્બળ અદઢ કામી સુધાળુ હોય અત્ય; આળસુ અશુચિ અધમ જડ કૃપણની શી ગત્ય.’ અક્ષયપદ, પામવા માટે જો આ બધાં સાધનોની નિરર્થકતા હોય તો તે બધાં સિવાયનો ઉપાય કયો છે એ બતાવવા માટે પરીક્ષિત રાજા શુકદેવજીને પ્રશ્ન કરે વિના ઘને વિના તપસ્યા, વિના યજ્ઞ ને તીર્થ; વિના યોગે વિના ધ્યાને, શ્રમ વિના થાય અર્થ. દયારામનાં આખ્યાનો ક ૨૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy