SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત કવિકૃત વસંતવિલાસ આપણા મધ્યકાલીન યુગમાં ફાગુસાહિત્યમાં કોઈક અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ' નામનું સુપ્રસિદ્ધ ફાગુકાવ્ય સર્વશ્રેષ્ઠ મનાયું છે. આંતરયમકવાળા દુહાની સળંગ ૮૪ કડીમાં લખાયેલું આ કાવ્ય પ્રકૃતિવર્ણન, રસનિરૂપણ, અલંકારવૈભવ તથા ભાષાલાલિત્યની દૃષ્ટિએ કાવ્યરસિકોને આકર્ષે એ પ્રકારની હૃદયંગમ સુશ્લિષ્ટ રચના છે. એથી જ એ અત્યંત લોકપ્રિય બન્યું છે. ફાગુકાવ્યોમાં સૌથી વધુ હસ્તપ્રતો જો કોઈ એક ફાગુકાવ્યની થઈ હોય તો તે વસંતવિલાસની જ છે અને આધુનિક સમયમાં સૌથી વધુ સંપાદનો અને અનુવાદો થયા હોય તો તે “વસંતવિલાસ'નાં જ છે. (કેશવ હર્ષદ ધ્રુવ, કાન્તિલાલ વ્યાસ, કે. કા. શાસ્ત્રી, મધુસૂદન મોદી, નોર્મન બ્રાઉન, માતપ્રસાદ ગુપ્ત ઈત્યાદિ વિદ્વાનોએ એનું સટીક સંપાદન કર્યું છે. એમાંના કેટલાકે તો એક કરતાં વધુ સંશોધિત-સંવર્ધિત સંપાદનો પ્રકાશિત કર્યા છે. મધ્યકાળમાં ‘વસંતવિલાસની સચિત્ર હસ્તપ્રતો પણ તૈયાર કરવામાં આવેલી છે કે જે દર્શાવે છે કે લહિયાઓએ કે લહિયા પાસે લખાવનારાએ પણ આ કૃતિમાં કેટલો બધો રસ લીધો છે) આ ફાકાવ્યને કતએ પોતે જ “વસંતવિલાસ' એવું વર્ણસગાઈયુક્ત યથાર્થ નામ આપ્યું છે. પ્રથમ કડીમાં જ અડધા ચરણમાં સરસ્વતી દેવીને વંદન કરી કવિ કાવ્યનો નામોલ્લેખ કરી દે છે : પહિલઉ સરસતિ અરચિસુ રચિસુ વસંતવિલાસુ, કાવ્યને અંતે પણ કવિ નામોલ્લેખ કરતાં કહે છે : ધન ધન તે ગુણવંત, વસંતવિલાસુ જે ગાઈ. ‘વસંતવિલાસ' એવું ફાગુકાવ્ય છે કે જેની રચના પાછળ કોઈ કાવ્યતર ૨પર + સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy