________________
વસંતઋતુને કામદેવની તુ તરીકે ઓળખાવવામાં આવે છે. મદનોત્સવના આ દિવસોમાં વાતાવરણ એવું માદક બને છે કે જેમાં કામદેવને પોતાનાં આયુધો તીર્ણ કરવાની સરસ તક સાંપડે છે. એટલે જ વસંતઋતુ અને શૃંગારરસનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. પરંતુ ઔચિત્ય અને ગૌરવ એ શૃંગારરસના આભૂષણો છે. અન્ય રસના નિરૂપણ કરતાં શૃંગારરસના નિરૂપણમાં વધુ જોખમ રહેલું છે, કારણ કે રસનિરૂપણ કરનાર તાનમાં આવી જઈને ક્યારે મર્યાદા ઓળંગી જઈને ઔચિત્યભંગ કરી બેસશે તે કહી શકાય નહિ. ખુદ નિરૂપણ કરનારને પણ એનો ખ્યાલ ન રહે. ઔચિત્યભંગ થતાં રસભંગ થાય છે. કાવ્યરસ અપરસમાં પરિણમે છે. વ્યાવહારિક જીવનમાં પણ શૃંગારરસની વાતોને એક સાંસ્કારિક મર્યાદા હોય છે. મર્યાદાભંગ સામાજિક ટીકાનિંદાને પાત્ર ગણાય છે. પરંતુ કામાતુરને ભય કે લજ્જા હોતાં નથી. આથી જ શૃંગારરસનું નિરૂપણ કરતાં કેટલાંયે ફાગુકાવ્યો ઉઘાડા
સ્થૂલ શૃંગારરસમાં સરી પડવા લાગ્યાં. કેટલાકે ઇરાદાપૂર્વક એવું નિરૂપણ કર્યું છે. આવાં કાવ્યો જાહેરમાં નહિ પણ ખાનગીમાં વંચાય કે ગવાય. મધ્યકાળમાં “ગણપતિ ફાગુ' અને એવાં બીજા કેટલાંક અશ્લીલ ફુગુઓ લખાયાં છે, જે સામાજિક દષ્ટિએ નિષિદ્ધ ગણાયાં છે અને સાહિત્યિક દૃષ્ટિએ તેનું કશું મૂલ્ય નથી.
હોળીના દિવસોમાં ઉલ્લાસના પ્રતીકરૂપે અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાવવાની, રંગ છાંટવાની કે રંગની પિચકારી છોડવાની પ્રથા છે. પરંતુ જ્યારે તે અધમતામાં સરી પડે છે ત્યારે લોકો છાણ અને કાદવનો પણ આશ્રય લે છે. હોળીના દિવસોમાં કેટલાક વર્ષોમાં ખાનગીમાં માંહોમાંહે અશ્લીલ ગાળો બોલવાની, અશ્લીલ કહેવતો કહેવાની કે ગીતો ગાવાની પ્રથા છે. તેવાં ચિત્રો પણ દોરાય છે અને નનામા અશ્લીલ પત્રો પણ લખાય છે. મધ્યકાળમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં હોળીના દિવસોમાં યુવાનોમાં અશ્લીલ ફાગ ગાવાની પ્રથા પ્રચલિત થઈ હતી. જે કેટલેક અંશે હાલ પણ પ્રચલિત છે. અમુક વિસ્તારમાં કે અમુક કોમના લોકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે જ અશ્લીલ ગાળ માટે “ફાગ' અને સભ્ય સમાજમાં જાહેરમાં ન ગાઈ શકાય એવા અશ્લીલ ફાગ માટે બેગ જેવા શબ્દો રૂઢ થઈ ગયા છે. યુવાનોને બહાવરા બનાવનાર અને એમના માનસને અસંસ્કારી અને વિકૃત કરનાર આવાં ફાગુઓ જ્યારે જોર પકડતાં ક્યાં હતાં ત્યારે કેવળ શિખામણથી સન્માર્ગે ન વળનાર યુવા પેઢીને વિકલ્પ સારાં સુગેય ફાગુઓ આપીને સન્માર્ગે વાળવાનું કાર્ય જૈન સાધુકવિઓએ કર્યું છે. ધર્મમાર્ગે વળેલા લોકો ચલિત ન થાય એ માટે અધ્યાત્મરૂપી હોળી-હોરી વધારે ચડિયાતી છે એ બતાવવા રૂપક શૈલીનાં ફાગુકાવ્યો પણ લખાયાં. વળી, જેમાં શૃંગારરસનું થોડુંક નિરૂપણ કરી અંતે
૨૨૬ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org