________________
વસંતવિલાસ', “નારાયણ ફાગુ' વગેરે કેટલાંક ફાગુકાવ્યોમાં સંસ્કૃતાદિ ભાષામાં સંમતિસૂચક, અર્થસંવર્ધ કે પુષ્ટિકારક શ્લોકરચના જોવા મળે છે, જે કવિની તથા કાવ્યરસિકોની વિદગ્ધતાની સાક્ષી પૂરે છે અને કાવ્યસ્વાદને વધુ રુચિકર બનાવે
વસંતઋતુ, વસંતક્રીડા, વનવિહારનું નિરૂપણ અને તે નિમિત્તે સંયોગ ગાર અને વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ એ ફાગુકાવ્યનો મુખ્ય વિષય છે. વસંતના અર્થમાં જ “ફાગુ' શબ્દની સાર્થકતા છે. કેટલાંક ફાગુકાવ્યોનાં તો નામ જ “વસંત’ શબ્દવાળાં છે, જેમાં “વસંતવિલાસ' સુખ્યાત છે. કેટલાયે કવિઓએ પોતાની કૃતિમાં ‘વસંત'નો સ્પષ્ટ નિર્દેશ પણ કર્યો છે. ઉ.ત. પહુતીય શિવરતિ સમરતિ, દિવ રિતૃતણીય વસંત.
(વસંતવિલાસ)
*
ગાઇનું માસ વસંત હુઉં, ભરખેસર નરવિદો.
(ભરતેશ્વર ચક્રવર્તી રાગ)
* મધ માધવ રિતિ કામનિ કત, તિપતિ રમીઈ રાઉવસંત.
(ચુપઈ ફાગુ)
ફાગુ વસંતિ જિ એલઈ, બેલઈ સગુન નિધાન.
જબુસ્વામી ફાગ) કેટલાંક ફાગુકાવ્યોમાં કેવળ વસંતઋતુ અને વાસંતિક કીડાઓનું જ નિરૂપણ થયેલું છે, પરંતુ આ કાવ્યપ્રકારના આરંભકાળથી જ એમાં કથાનકોનું આલંબન લેવાતું રહ્યું છે. નેમિનાથ અને સ્થૂલિભદ્રના વૃત્તાન્તના નિમિત્તે વસંતવર્ણન (કે વર્ષોવર્ણન) એમાં આલેખાયું છે. ફાગુકાવ્યોમાં એમ ઉત્તરોત્તર વણ્ય વિષયની સીમા વિસ્તરતી ગઈ છે. નેમિનાથ ઉપરાંત આદિનાથ, વાસુપૂજ્ય, શાન્તિનાથ, પાર્શ્વનાથ વગેરે તીર્થકરો, ગણધર ભગવંત ગૌતમસ્વામી, કેવલી ભગવંત જંબુસ્વામી તથા જિનચંદ્ર, ધર્મમૂર્તિ, સુમતિસુંદર, કીર્તિરત્ન, હેમવિલમ, પુણ્યરત્ન, પદ્મસાગર, હીરવિજયસૂરિ વગેરે ગુરુભગવંતો તથા રાણકપુર, ચિતોડ, બંભણવાડા, જીરાપલ્લી વગેરે તીર્થો વિશે પણ ફાગુકાવ્યો લખાયાં છે. વળી, રૂપકશૈલીનાં આધ્યાત્મિક ફાગુકાવ્યો પણ લખાયાં છે અને લોકકથા પર આધારિત ફાગુકાવ્યો પણ લખાયાં છે. પાંચસાત કડીથી માંડીને ત્રણસો કડીથી મોટાં ફાગકાવ્યોની રચના થયેલી છે. દોઢસો જેટલાં જે ફાગુમાવ્યો હાલ ઉપલબ્ધ છે, તેમાં જૈન સાધુ કવિઓને હાથે જૈન
શગુનો કાવ્યપ્રકાર છે ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org