SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યપ્રકારોમાં ક્યારેક જોવા મળતી એવી એક લાક્ષણિકતા ફાગુકાવ્યમાં પણ જોવા મળે છે. કેટલીક ફાગુકૃતિઓમાં મૂળ કાવ્યની કડીઓના વક્તવ્યને અનુરૂપ વચ્ચે વચ્ચે સંસ્કૃતમાં શ્લોકો આપવામાં આવ્યા હોય છે. આવી શ્લોકરચના કોઈકના માત્ર આરંભમાં અને અંતે, કોઈકમાં તદુપરાંત વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક અને કોઈકમાં પ્રત્યેક કડી પછી આપવામાં આવી છે. આવી શ્લોકરચનાનું અવલોકન કરતાં નીચે પ્રમાણે જોવા મળે છે. ૧. કોઈ કોઈ કાવ્યોમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકતમાં પણ શ્લોકરચના થયેલી ૨. આ શ્લોકરચના કવિની પોતાની જ હોય એવું અનિવાર્ય નથી. કવિએ પોતે શ્લોકની રચના કરી હોય અથવા કવિએ બીજેથી ઉદ્ધત કરેલા શ્લોકો આપવામાં આવ્યા હોય. કેટલીક શ્લોકરચનામાં વ્યાકરણની દૃષ્ટિએ કંઈક અશુદ્ધિ જોવા મળે છે. શ્લોક જેવો સાંભળ્યો હોય તેવો ઉતાર્યો હોય તો એવું બનવાનો સંભવ વિશેષ રહે છે, જો કર્તા પોતે સંસ્કૃતજ્ઞ ન હોય ૩. પ્રત્યેક શ્લોક સ્વયંપર્યાપ્ત હોય છે. કેટલાક શ્લોક તો સુપ્રસિદ્ધ કૃતિઓમાંથી લેવાયા છે. કેટલાક શ્લોક તો સુપ્રસિદ્ધ સુભાષિત છે. ૪. કેટલીક કાવ્યકૃતિઓમાં વિષયવસ્તુના નિરૂપણમાં સાતત્ય જાળવવા માટે, વચ્ચે આવતા શ્લોકો અનિવાર્ય અંગરૂપ બની ગયા છે. કોઈક કાવ્યમાં શ્લોકરચના ગુજરાતીમાં લખેલી કડીઓના વક્તવ્યની પુષ્ટિ અર્થે જ માત્ર છે. એ કાઢી લેવામાં આવે તો રસભંગ થતો નથી કે સાતત્ય તૂટતું નથી. શ્લોકો કાઢી લીધા પછી પણ મૂળ કાવ્યનો રસાસ્વાદ સાધંત માણી શકાય છે. વસંતવિલાસ' એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. ૫. કેટલીક કૃતિઓમાં શ્લોક-રચના બે કડીઓ વચ્ચેના અનુસંધાનરૂપ છે અને કાવ્યાસ્વાદમાં તે અનિવાર્ય છે. કવિએ પોતે જ એવી રચના કરી છે એવું ત્યાં સ્પષ્ટ જણાય છે. આવી શ્લોકચના એવા કવિઓ જ કરી શકતા કે જેઓ પોતે સંસ્કૃતના પંડિત હોય અને કવિતાકલામાં કુશળ હોય. ૬. કેટલીક કૃતિઓમાં શ્લોકરચના કવિએ પોતે ન કરી હોય, પણ એની હસ્તપ્રત તૈયાર કરતી વખતે લહિયા દ્વારા કે પઠન કરનાર અન્ય કોઈ દ્વારા તે ઉમેરાઈ હોય. આમ “નેમીશ્વરચરિત ફાગબંધ', દેવરત્નસૂરિ ફાગ', “રંગસાગર નેમિફાગ', રરર : સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy