SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી રચના સળંગ દુહામાં કરી છે. આમ, એમણે બંને પ્રકારની રચનાનો પ્રયોગ કર્યો છે. ભાસરચનાની શૈલી આરંભના સૈકામાં જોવા મળે છે, પરંતુ પછીથી દુહાની સળંગ કડીઓવાળાં ફાગુમાવ્યો જ વિશેષ પ્રચલિત બન્યાં હતાં. ફાગુકાવ્યમાં સાદા દુહાને વધુ રળિયામણો બનાવવા માટે અંત્યાનુપ્રાસ ઉપરાંત આંતરયામકની યોજના આવી. આ આંતરયમકથી અલંકૃત થયેલા દુહાની શોભા ખરેખર વધી. શબ્દો કે અક્ષરોને અર્થફેર સાથે બેવડાવવાથી દુહો વધુ આસ્વાદ્ય બન્યો અને કવિઓને પણ પોતાનું શબ્દપ્રભુત્વ દાખવવાની તક મળી. આથી આંતરરમકવાળા દુહા વધુ લોકપ્રિય અને કવિપ્રિય બન્યા. ‘વસંતવિલાસ' જેવી શ્રેષ્ઠ, સુપ્રસિદ્ધ ફાગુકાવ્યની રચના આંતરરમકવાળા દુહામાં થયેલી છે. એની લોકપ્રિયતાએ ત્યાર પછીની ફાગુરચનાઓ પર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. સમય જતાં આંતરયમકવાળા દુહાની રચના માટે “ફાગુ' શબ્દ પયયરૂપ બની ગયો. એવી રચના માટે “ફાગની દેશી' અથવા ફાગની ઢાળ', જેવાં નામ અપાવા લાગ્યાં, એટલે કે “ફાગની દેશી' એમ કવિએ લખ્યું હોય તો તે આંતરયમકવાળા દુહાની જ રચના છે એવી માન્યતા રૂઢ થઈ ગઈ. અલબત્ત, આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે ફાગુકાવ્યના દુહામાં આંતરયામકની રચના અનિવાર્ય ગણાતી નહોતી. પત્રકૃત નેમિનાથ ફાગુ' તથા અજ્ઞાત કવિકૃત ‘વસંત ફાગુ', મોહિની ફાગુ' વગેરે કેટલાંક ફાગુકાવ્યોમાં આંતરયામકની રચના નથી. બીજી બાજુ એવાં ફાગુકાવ્યો પણ લખાયાં કે જેમાં ફાગુની દેશી હોય અને છતાં એમાં વસંતવર્ણન ન હોય. ફાગુકાવ્યોમાં વિવિધ કથાનકોનું નિરૂપણ કરવાને કારણે કાવ્યરચના સુદીર્ઘ બનતાં, નિરૂપણમાં વૈવિધ્ય લાવવાની દૃષ્ટિએ કેટલાક કવિઓ દુહા અથવા ફાગુની દેશી ઉપરાંત ચરણાકુલ, કુંડળિયો, રાસક, અંદોલા, અઢયા, કવિત (શાર્દૂલવિક્રીડિત) ઈત્યાદિમાં કેટલીક કડીઓની રચના કરવા લાગ્યા. ભ્રમરગીતા, રાજગીતા, બ્રહ્મગીતા વગેરે ગીતા નામધારી રચનાઓમાં કવિઓએ ફાગુની દેશી ઉપરાંત અન્ય છંદોનો પણ ઉપયોગ કર્યો છે. દુહો દીર્ઘ લયથી લલકારી શકાય એવો છંદ હોવાથી ક્યારેક કવિઓ અને ક્યારેક ગાયકો પંક્તિ શરૂ કરતાં પહેલાં “અહે, “એ..', “અરે..', ‘અહ..' વગેરે પાદપૂરકો ઉચ્ચારે છે. પછી તો કવિઓ પણ એવા પાદપૂરકોવાળી રચના કરવા લાગ્યા. સમુધરકૃત નેમિનાથ ફાગુ', અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફગ', ગુણચંદ્રસૂરિકૃત “વસંત ફાગુ', અજ્ઞાત કવિકૃત “હેમરત્નસૂરિ ફાગ' વગેરેમાં આવાં પાદપૂરકો જોવા મળે છે. ફાગુકાવ્યની પદ્યરચનાનો વિચાર કરતાં જણાય છે કે મધ્યકાલીન કેટલાક શગુનો કાવ્યપ્રકાર ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy