SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ स नाग: प्रांज्जलिर्भूत्वा वेषमानो नलं तदा । उवाच मां विद्धि राजन् नागं कर्कोटकं नृप । ६६.४ मया प्रलब्धो ब्रह्मर्षिनारद सुमहातपाः । तेन मन्युपरीतेन शप्तोऽस्मि मनुजाधिप ॥ ६६-५ तिष्ठ त्वं स्थावर इव यावदेव नल क्वचित् । ईतो नेता हि तत्र त्वं शापान्मोक्ष्यसि मत्कृतात् ॥ ६६-६ तस्य शापेन्न शक्तोऽस्मि पदादविचलितं पदम् । उपदेक्ष्यामि ते श्रेयस्रातुमर्हति मां भवान् ॥ ૬૬-૭ सखा च ते भविष्यामि मत्समो मत्समो नास्ति पन्नगः । लघुश्च ते भविष्यामि शीघ्रमादाय गच्छमाम् ॥ ६६.८ एवमुक्त्वा स नागेन्द्रो बभूवाङ्गुष्ठमात्रक । तं गृहीत्वा नल:प्रायाद् देशं दावबिवर्जितम । ६६.९ आकाशदेशमासाद्य विमुक्तं कृष्णवर्त्मना । उत्स्रष्टुकामं तं नागः पुनः कर्कोटकोऽब्रवीन ॥ ६६.१० पदानि गणयन् गच्छ स्वानि नैषध कानिचित् ।। तत्र तेऽहं महाबाहो श्रेयो धास्यथामि यत् वरम् ॥ ६६.११ (મહાભારત) “હે યુધિષ્ઠિર, હવે નળરાજા દમયંતીનો ત્યાગ કરીને ગયો ત્યારે વનમાં મોટો દાવાનળ બળતો હતો. તે જોયા પછી તેણે તેમાં કોઈએ હે પવિત્ર યશવાળા નળ, તું જલદીથી દોડ એમ મોટો શબ્દ કર્યો. તે સાંભળી તું કંઈ ભય પામતો નહિ એમ સામો ઉત્તર આપી તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. તેમાં ગૂંચળું વળીને સૂતેલા નાગને જોયો. તે વખતે થરથર કાંપતા એવા તે નાગે હાથ જોડીને કહ્યું કે હે રાજનું હું કર્કોટક નામે નાગ છું. મેં પરમ તપસ્વી નારદજીનો છળ કર્યો તેથી તેમણે ક્રોધયુક્ત થઈ મને શાપ આપ્યો કે હે નાગ, તું જ્યાં સુધી નળ રાજા આવે ત્યાં સુધી વૃક્ષની પેઠે સ્થિર રહીશ. જ્યારે તને ઉપાડીને અહીંથી બીજે ઠેકાણે લઈ જશે ત્યારે મારા શાપથી મુકાઈશ. એવી રીતે મને નારદજીએ શાપ આપ્યો છે માટે હું એક પગલું પણ ચાલવા સમર્થ નથી. વાસ્તે તમે આ અગ્નિથી મારી રક્ષા કરો. હે નળરાજા હું તમને તમારું શ્રેય થાય એવો ઉપદેશ કરીશ તથા સખા થઈશ. મારા સરખો કોઈ પણ સર્પ નથી. માટે હું તમારાથી ઊપડી શકે એવું નાનું સ્વરૂપ ધારણ કરીશ. વાસ્તે મને જલદીથી આ અગ્નિની બહાર લઈ જાઓ, હે યુધિષ્ઠિર. એ પ્રમાણે કહી કર્કોટક નાગે અંગૂઠાના પ્રવર જેવડું સ્થાનક નાનું સ્વરૂપ ધારણ કર્યું. નળ રાજા ૨જી કે સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy