SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ कथं नु जातसंकल्प स्त्रियमुत्सहते पुमान् । परार्थमीदर्श वक्तुंतत् क्षयन्तु महेश्वराः ।। ૬૬-c મહાભારત) એ પ્રમાણે ઈન્ડે કહ્યું ત્યારે નળ રાજાએ હાથ જોડીને કહ્યું કે “હે દેવતાઓ ! જે તમારા મનમાં મતલબ છે તે જ મારા મનમાં પણ મતલબ છે. માટે તમે મને મોકલો નહિ. પુરુષ જે સ્ત્રીની સાથે પોતાનો વિવાહ કરવાની ઈચ્છા રાખવો હોય તેનો ત્યાગ કેમ કરે? પારકા સારુ તેની પાસે જઈને, તમારા કહેવા પ્રમાણે કેમ કહે ? હે દેવતાઓ તમે મારો અપરાધ ક્ષમા કરો.” (ભાષાંતર) સુણી નળારાય બોલીઓ, હાથ જોડી ત્યાંહિ; વાંચ્છના જે દેવ ધરતા. તે ઓછિ મમ મનમાંહિ. ૯-૧૪ વળી જે નારીતણી ઈચ્છા કરે પુરુષ જાત; ત્યાગ તિનો કિમ કરે ? એહ વિપરીત વાત. ૯-૧૬ વળી દૂત થઈ અવરનો, કિમ કહે જઈ કુણ; અપરાધ ક્ષમા કીજિયે, હે ઈન્દ્રીય સુખદેશ. ૯-૧૭ (નળાખ્યાન) १. य ईमां पृथिवीं कृत्स्नां संक्षिप्य ग्रसते पुनः । हुताशमीशं देवानां का तं न वरयेत् पतिम् ॥ ५६-९ यस्य दण्ड्भयात् सर्वे भूतग्रामा: समागताः । धर्ममवानुरुध्यन्ति का तं न वरयेत् पतिम् ॥ ५६-१० धर्मात्मानं महात्मानं दैत्यदानवमर्दनम् । महेन्द्रं सर्वदेवानां का तं न वरयेत पतिम् ॥ ફ૧૧ क्रियतामविशंडकेन मनसा यदि मन्यसे । वरुणं लोकपालानां सहृद्वाक्यमिदं शृणु ॥ ५७-१२ મહાભારત) જે સર્વ પૃથ્વીને ગ્રાસ આપવા સમર્થ છે એવા અગ્નિને તથા જેના દડના ભયે કરીને મળેલા સર્વ ભૂતપ્રાણી પોતપોતાના ધર્મમાં રહે છે એવા યમરાજાને અને ધર્મયુક્ત અંતઃકરણવાળા મહાત્મા, દૈત્યો તથા રાક્ષસોનો નાશ કરનાર અને દેવતાઓના રાજા ઈન્દ્રને તથા લોકપાલોમાં મુખ્ય વરુણને પતિરૂપે ન વરે એવી કઈ ૧૯૨ ક સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy