SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા કિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને મહાન પૂર્વાચાર્યોનાં સ્મરણ કરાવે છે. ડો. ભગવાનદાસ મહેતા લખે છે, “આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હોય, દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હોય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમાચાર્ય હોય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદઘનજીના અનુગામી હોય એમ આપણને સહેજે પ્રતિભાસે છે. * શ્રી ભદ્રંકરવિજયજી ગણિ લખે છે, “વાચક યશોવિજયમાં હરિભદ્રાચાર્ય જેવી મધ્યસ્થ બુદ્ધિ અને પરીક્ષક શક્તિ તથા હેમચન્દ્રાચાર્ય જેવી સન્માર્ગદશક અને સન્માર્ગરક્ષક વૃત્તિ તરી આવે છે. તદુપરાંત, પૂર્વના મહાન આચાર્યોની જેમ ગુરુભક્તિ, તીર્થભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રેમ, ધર્મપ્રેમ, સંસારજુગુપ્સા, સંવેગરસ, નમ્રતા, લઘુતા, સરળતા, દઢતા, ઉદારતા, ધીરતા, ગંભીરતા, પરોપકારરસિકતા ઈત્યાદિ અગણિત ગુણો જણાઈ આવે છે. અને એ બધા અપૂર્વ ગુણોના કારણે તેમની કૃતિઓ એક નાનું બાળક પણ સમજી શકે એટલી હદ સુધીની સરળ અને એક પ્રૌઢતમ વિદ્વાન પણ ન સમજી શકે એટલી હદ સુધીની ગંભીર મળી શકે છે.'' આમ, અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તાર્કિકશિરોમણિ સ્મારિત શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચન્દ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, “Ú' બીજમંત્ર પદના પ્રસ્થાપક, “કુર્ચાલી શારદા પુરુષરૂપે અવતરેલ મૂછવાળી સરસ્વતીનું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર વૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચાર ક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઈત્યાદિ શબ્દો વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર શ્રી યશોવિજયજીને આપણાં કોટિશઃ વંદન હો! (૨) બૂસ્વામી રાસ સંસ્કૃત અને પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે. જંબૂસ્વામી રાસ એમના જીવનની ઉત્તરાવસ્થાની, સં. ૧૭૩૯માં રચાયેલી કૃતિ છે. આ રાસ એમની સમગ્ર ગુજરાતી કૃતિઓમાં કદની દૃષ્ટિએ મોટામાં મોટી કૃતિ છે. આ પૂર્વે એમણે * શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ પૃ.૭૯ + શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ પૃ.૨૬ ૧૩૮ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy