________________
પંચમહાવ્રત સુધા પાલે રે
આહાર બઈતાલીસ દૂષણ ટાલે રે. થોડા પણિ તું ગૃહસ્થપ્રસંગા રે
મ કિરિસ ઈંણથી ચારિત ભંગા રે.
કુટુંબ ઉપર તું નાણે માયા રે,
કે કેહની માતા કેહની જાયા રે.
મિત્ર નઈ સત્રુ ગિણજે સરિખ રે,
મત તું બોલે ભાષા મિરા રે.
ત્રિણ મણિ કંચન સરખા જાણે રે
સમતા ભાવ તૂં સૂઈ આણે રે.
વિનય વેયાવચ સહુની કરજે રે
દસ વિધ સમાચારી ધિરજે રેં. મૃગાવતી જ્યારે ભગવાન મહાવીરની પર્ષદામાંથી મોડાં આવે છે અને એથી એમનાં ગુરુણી ચંદનબાળા તે માટે જે ઠપકો આપે છે તે પ્રસંગે પોતાની ભૂલ માટે મૃગાવતી જે પશ્ચાત્તાપ કરે છે તથા એ પશ્ચાત્તાપના સાચા અને ઉત્કટ ભાવથી સર્વ પ્રત્યે જે ક્ષમાપના કરે છે અને એથી કેવળજ્ઞાન પામે છે એ પ્રસંગનું આલેખન કરતી વખતે કવિ ધર્મતત્ત્વને વણી લે છે.
આમ, આવા થોડાક પ્રસંગે સમયસુંદરે ધર્મોપદેશના તત્ત્વને ગૂંથી લીધું છે, પરંતુ રાસમાં તે એટલું સહજ રીતે વણાઈ ગયેલું છે કે જેથી ક્યાંય રસક્ષતિ થતી હોય તેવું જણાતું નથી.
Jain Education International
સમયસુંદરના સમયમાં ગુજરાત અને રાજસ્થાનમાં બોલાતી લોકભાષામાં બહુ ઝાઝો ફરક ન હતો. જૈન સાધુકવિઓની એક વિશિષ્ટતા એ હોય છે કે તેઓ કોઈપણ એક સ્થળે સતત લાંબા સમય સુધી રહેતા નથી હોતા. તેઓ એક સ્થળેથી બીજે સ્થળે હંમેશાં વિચરતા હોય છે. પરિણામે, તેઓની પોતાની બોલવાની અને લખવાની ભાષામાં વિવિધ પ્રાદેશિક છાંટનું સંમિશ્રણ થતું રહે છે. તેઓનો વિચરવાનો પ્રદેશ સામાન્ય રીતે ગુજરાત અને રાજસ્થાનનો વધુ હોય છે એટલે તેમની ભાષામાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાનાં લક્ષણો અવારનવાર જોવા મળે છે. સમયસુંદર રાજસ્થાનના વતની હતા અને ગુજરાતમાં પણ અમદાવાદ વગેરે સ્થળે ઘણો સમય વિચર્યાં હતા. આ ઉપરાંત એમના સમયમાં રાજસ્થાનની સરહદ ઉપર સિંધ પ્રદેશમાં જૈનોની ઘણી વસ્તી હતી.
આ રાસની રચના સમયસુંદરે સિંધ પ્રદેશના મુલતાનનગરમાં રહીને કરી હતી. એથી સહજ રીતે એમણે આ રાસમાં એક ઢાલની રચના સિંધુ ભાષાની
૧૦૪ * સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org