SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ છું તે જોતાં રમણભાઈના ત્યાં જવાથી તેઓ નાસ્તિક નહિ થાય, પણ વ્યાખ્યાનમાળા આસ્તિક થઈ જશે.” મહારાજશ્રીની સંમતિથી હું સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. - પૂજ્ય આચાર્ય મહારાજ પાસે વંદન અર્થે આવેલા લોકોની હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનાંમોટાં સહુની સાથે તેઓ આત્મીયતા દાખવતા. એને લીધે કોઈને એમની પાસે જતાં સંકોચ થતો નહિ. આચાર્ય મહારાજ પોતે દરેકની વાતમાં રસ લઈને તેને યોગ્ય માર્ગદર્શન આપતા. સેંકડો નહિ બબ્બે હજારો માણસોને તેઓ નામથી ઓળખતા. એમની પાસે કોઈ જાય કે તરત તેઓ નામ દઈને બોલાવતા. તેઓ ઉંમરમાં મોટા હતા એટલે કેટલાંયને એકવચનમાં સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતાતુલ્ય વાત્સલ્ય પ્રતીત થતું અને તેને લીધે તે વિશેષ ગમતું પૂ. વિજયધર્મસૂરિ મહારાજનું સમગ્ર જીવન તેજસ્વી હતું. તેમનું ગૃહસ્થ જીવન થોડાં વર્ષોનું પણ ધર્મપરાયણ હતું. તેમનો જન્મ વિ. સં. ૧૯૬૦માં વઢવાણમાં થયો હતો. તેમનું જન્મનામ ભાઈચંદ હતું. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદભાઈ અને માતાનું નામ છબલબહેન હતું. તેમણે છ વર્ષની ઉંમરે પોતાના પિતા ગુમાવ્યા હતા. એમનાં ધર્મપરાયણ માતાએ ભાઈચંદને પ્રાથમિક શાળાના અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં પંચપ્રતિક્રમણ સૂત્રનો અભ્યાસ કરાવ્યો. બાળક ભાઈચંદની સ્મૃતિ અને ગ્રહણશક્તિ ઘણી સતેજ હતી. નવ વર્ષની ઉંમરે તો તેઓ આસપાસનાં ગામના લોકોને પ્રતિક્રમણ કરાવવા જતા. વધુ અભ્યાસને માટે ભાઈચંદને અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા ચીમનલાલ નગીનદાસ છાત્રાલય (સી.એન. વિદ્યાવિહાર)માં દાખલ કરવામાં આવ્યા હતા. એમનો વિદ્યાભ્યાસ અમદાવાદમાં ઘણો સરસ ચાલતો હતો. બીજી બાજુ છબલબહેને પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ ચાલુ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેમની રુચિ ઉત્તરોત્તર વધતી જતી હતી. પોતાના ત્રણ પુત્રોમાંથી વચલા પુત્ર ભાઈચંદને પણ તેઓ એ જ માર્ગે વાળવા ઇચ્છતાં હતાં. નાની ઉંમરમાં જ માતાએ પોતાના આ પુત્રને દીક્ષા લેવા માટે પ્રેરણા કરી હતી. ભાઈચંદને જોઈને પૂ. વિજયમોહનસૂરિએ પણ છબલબહેનને એ જ ભલામણ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે ભાઈચંદ શાળાનો અભ્યાસ છોડી દઈને વઢવાણ પાછા આવ્યા. વિ. સં. ૧૯૭૬માં મહેસાણા પાસે સાંગણપુરમાં પૂ. વિજયમોહનસૂરિ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું. મુનિ પ્રતાપવિજયના શિષ્ય તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા. ચારેક વર્ષ પછી એમનાં માતુશ્રી છબલબહેને પણ દીક્ષા લીધી અને તેમનું નામ સાધ્વી શ્રી કુશળશ્રીજી રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી મુનિ ધર્મવિજયે પૂ. મોહનસૂરિ પાસે ઉમંગભેર શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. તદુપરાંત વખત મળતાં તેમણે તે સમયના મહાન જૈન આચાર્ય પૂ. પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy