SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લાં પંદરેક વર્ષથી તેમના ગાઢ સંપર્કમાં આવ્યો હતો. તેમના વિશેષ નિકટના સંપર્કમાં આવવાની તક મને અપાવી મારા મિત્ર શ્રી બાબુબાઈ (વ્રજલાલ) કપૂરચંદ મહેતાએ. તેઓ દર અઠવાડિયે એક કે બે દિવસ રાતને વખતે પૂ. મહારાજસાહેબ જ્યાં હોય ત્યાં તેમની પાસે જતા. આઠદસ મિત્રો એકઠા થતા. પૂ. મહારાજજી કોઈ એક શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરાવતા. આ રાત્રિવર્ગમાં બાબુભાઈ પોતાની ગાડીમાં મને નિયમિત લઈ જતા. અમારા આ રાત્રિવર્ગમાં અડધો-પોણો કલાક મહારાજસાહેબ સમજાવે અને પછી પ્રશ્નોત્તરી થાય. આવી રીતે ચારેક વર્ષ ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન પૂજ્ય આચાર્ય મહારાજ પાસે નિયમિત જવાનું બન્યું. આ રાત્રિવર્ગને કારણે પૂજ્ય મહારાજસાહેબ સાથે મારે આત્મીયતા થઈ. ચિત્ત ઉપર એક છાપ દઢપણે અંકિત થઈ કે પૂજ્ય આચાર્ય મહારાજે આપણા શાસ્ત્રગ્રંથોનું ઘણું ઊંડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક વિષયનો તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હોય. શાસ્ત્રોની સેંકડો પંક્તિઓ તેમને કંઠસ્થ હતી. અમારા બધા પ્રશ્નોની તેઓ વિવિધ દૃષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા, જેથી અમને પૂરો સંતોષ થાય. વળી તેમની દૃષ્ટિ હંમેશાં વ્યવહારનય અને નિશ્ચયનયના સમન્વયની રહેતી. તેમનું હૃદય હંમેશાં કરુણાથી છલકાતું. કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નોની છણાવટમાં પણ તેમના વક્તવ્યમાં અભિનિવેશ કે જુદો મત ધરાવનાર પ્રત્યે અસદુભાવ જોવા મળતો નહિ. અમારા આ રાત્રિવર્ગમાં એક વખત એક નાજુક, ગંભીર ચર્ચા ચાલી. વાત એમ હતી કે ઈ. સ. ૧૯૭૨માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક દરખાસ્ત મારી પાસે આવી. જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાનું અવસાન થયું. સંઘની સમિતિએ એ સ્થાન માટે મારી પસંદગી કરી. હું સંઘની સમિતિમાં હતો. મેં નિશ્ચય કર્યો કે પૂજ્ય મહારાજશ્રી એ માટે સંમતિ આપે તો જ મારે એ સ્થાન સ્વીકારવું. એકંદરે સાધુ ભગવંતો ઉપાશ્રયની બહાર ચાલતી આવા પ્રકારની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પોતાનો અણગમો વ્યક્ત કરતા. એટલે મહારાજશ્રી મને સંમતિ આપશે કે નહિ તેનો મને સંશય હતો. રાત્રિવર્ગના બધા જ મિત્રોએ અભિપ્રાય આપ્યો કે “ઉપાશ્રયની બહાર એરકન્ડિશન્ડ હોલમાં ચાલતી આવી નાસ્તિક વ્યાખ્યાનમાળામાં રમણભાઈથી પ્રમુખ તરીકે જવાય જ નહિ. મહારાજશ્રી શો ઉત્તર આપે છે તે જાણવા હું ઉત્સુક હતો. થોડી વાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું, રમણભાઈએ એ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સ્વીકારવું જ જોઈએ, આ તક જતી ન કરાય.” મહારાજશ્રીના જવાબથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રશ્નની જુદા જુદા દૃષ્ટિકોણથી છણાવટ કરી મહારાજશ્રીએ કહ્યું, “હું જે રીતે રમણભાઈને જાણું ૪૬ કિ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy