SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ યુગદિવાકર તરીકે જેમને બિરદાવવામાં આવ્યા હતા તે મહાન જૈન આચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ શનિવાર તા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૮૨ના રોજ સવારે મુંબઈમાં મઝગાંવના ઉપાશ્રયમાં ૭૮ વર્ષની ઉંમરે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ફાગણ સુદ તેરસનો એ પવિત્ર દિવસ હતો, જે દિવસ શત્રુંજય મહાતીર્થની છ ગાવની પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પૂ. વિજયધર્મસૂરીશ્વરજી વિદેહ થતાં જૈન સમાજને એક મહાન આચાર્યની ખોટ પડી છે. સ્વર્ગસ્થ આચાર્ય મહારાજની પાલખી ગોડીજીના ઉપાશ્રયેથી બીજે દિવસે સવારે નીકળવાની જાહેરાત થઈ ગઈ હતી. એમના કાળધર્મના સમાચાર મુંબઈ અને બહારગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને એમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સવારથી સેંકડો માણસોની લાઇન લાગી ગઈ હતી. હું અને મારાં પત્ની એમનાં દર્શન કરવા ગયાં ત્યારે અડધા કલાકે વારો આવ્યો. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખો માણસોએ એમનાં અંતિમ દર્શન કર્યા. ચેમ્બર સુધીની બાવીસ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રામાં લાખો માણસોએ ભાગ લીધો અને એમને માટેની ગુણાનુવાદ સભા પણ અજોડ અને યાદગાર બની. પૂજ્ય આચાર્ય મહારાજને પાંચેક વર્ષ પહેલાં પાલીતાણામાં લકવાનો ગંભીર હુમલો થયો હતો અને તેઓ બેશુદ્ધ બની ગયા હતા, પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પોતાના આત્મબળ વડે તેમણે કેટલાંક અધૂરાં રહેલાં પોતાનાં મહત્ત્વનાં કાર્યો પાર પાડ્યાં. પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતો. હું પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy