SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલતાને પણ તેઓ ચલાવી લેતા નહિ. પરંતુ પોતાના દીક્ષિત સાધુઓને તેઓ પોતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તો આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રલોભનો કે લોકેષણાથી ચલિત થતા નહિ. એકંદરે ફોટા પાડવા-પડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કોઈ પાડી લે તે જુદી વાત છે) વિવિધ યોજનાઓ માટે ટ્રસ્ટો કરાવી ધન એકત્રિત કરાવવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં રખાયું નથી. પૂ. આચાર્ય-ભગવંત શાસનનાં કાર્ય માટે કે અનુકંપા જેવા વિષયો માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ તેઓ ક્યારેય કરતા કે કરાવતા નહિ. પરંતુ એમના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લોકો સામેથી દાન આપવા માટે હંમેશાં તત્પર રહેતા. એને પરિણામે એમની કોઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. એમની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. એમના કાળધર્મ પ્રસંગે એક કરોડ રૂપિયા કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે એમના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂંડો, દુઃખમય અને છોડવા જેવો છે, લેવા જેવો સંયમ છે અને મેળવવા જેવો મોક્ષ છે, એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતાર્થ પૂજ્યપાદ સ્વ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજીને કોટિ કોટિ ભાવભરી વંદના ! પ્રભાવક સ્થવિરો, ભા. પમાંથી) જ જ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy