SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયનેમિસૂરિ, પૂ. આનંદસાગરસૂરિ, પૂ. ઉદયસૂરિ વગેરે પાસે પણ વખતોવખત શાસ્ત્રાભ્યાસ કર્યો. ભગવતીસૂત્ર, કર્મગ્રંથ, કમપ્રકૃતિ, પંચસંગ્રહ, બૃહત્કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્ય, નાટક, કોષ, વ્યાકરણ, ન્યાય ઈત્યાદિ વિષયોમાં પણ તેઓ પારંગત થયા. સમય જતાં તેમને ક્રમેક્રમે પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય વગેરે પદવીઓ અપાઈ અને વિ. સં. ૨૦૦૭માં મુંબઈમાં આચાર્યની પદવી આપવામાં આવી. શ્રી વિજયધર્મસૂરિજી પ્રકાંડ પંડિત હતા. તેમણે સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુરાતી ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે નવતત્ત્વ પ્રકરણ ઉપર સંસ્કૃતમાં છ હજાર શ્લોકપ્રમાણ “સુમંગલા' નામની ટીકા લખી છે. તદુપરાંત “ભગવતીસૂત્રનાં પ્રવચનો, ‘લઘુક્ષેત્રમાસ', પ્રશ્નોત્તર મોહનમાળા', શ્રવણ ભગવાન મહાવીર પૂર્વભવ' વગેરે સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. આચાર્ય થયા પછી શ્રી વિજયધર્મસૂરિજીની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ વેગથી ચાલવા લાગી. નૂતન જિનાલયનું નિર્માણ, જિનાલયોનો જીર્ણોદ્ધાર, અંજનશલાકા કે પ્રતિષ્ઠા, ઉપધાન અને માળારોપણ, મંદિરોની સાલગિરિ અને ઉજમણાં ઉપરાંત ધાર્મિક શિક્ષણ અને જૈન સાહિત્ય તથા કલાના પ્રચાર માટે તેમણે ઘણાં મોટાં મોટાં કાર્યો કર્યા છે. તેમના હસ્તે શતાધિક મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે. તેમની નિશ્રામાં પચીસેક વાર ઉપધાન તપની આરાધના થઈ છે. મુંબઈમાં ચેંબુરમાં ઋષભદેવ ભગવાનના અને ઘાટકોપરમાં મુનિ સુવ્રતસ્વામીના દેરાસરનું નિમણ એમની પ્રેરણાથી થયું હતું. તદુપરાંત ધર્મશાળા, ભોજનશાળા, હોસ્પિટલ, ઉપાશ્રય, દુષ્કાળ-રાહત, રેલરાહત વગેરે સામાજિક કાર્યો માટે પણ એમણે ઘણી પ્રેરણા આપી છે. એમના ઉપદેશથી છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ પ્રવૃત્તિઓમાં પંચાવન કરોડથી વધુ રૂપિયાની રકમ ખર્ચાઈ છે. એ ઉપરથી પણ તેમની સુવાસ, શક્તિ અને દૃષ્ટિનો પરિચય મળી રહે છે. વિ. સં. ૨૦૩૫માં વઢવાણમાં જ્યારે એમનો અમૃત મહોત્સવ ઊજવવા માટે ઘણું મોટું ફંડ એકત્રિત થયું તે વખતે મોરબીમાં રેલ આવતાં એ તમામ રકમ મોરબીના રાહતકાર્ય માટે વાપરવાની એમણે સૂચના આપી હતી, જે એમની સમયજ્ઞતા દર્શાવે છે. શ્રી વિજયધર્મસૂરિજીનો પ્રભાવ એવો મોટો હતો કે કેટલાયે માણસો યથાશક્તિ જાહેર કાર્ય માટે પોતે જે રકમ દાન તરીકે વાપરવા ઈચ્છતા હોય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીક વાર મહારાજશ્રીની સૂચના અનુસાર એ રકમ વાપરવાને માટે કેટલાક દાતાઓને એક-બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજશ્રીને કોઈ પણ નવું કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય ૪૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy