SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ AC માં રહેતો નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખો રૂપિયાનાં વચનો અગાઉથી તેમને મળેલાં રહેતાં. કોઈ પણ કાર્ય માટે મહારાજશ્રી ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં થઈ જતાં. - પૂજ્ય આચાર્ય મહારાજને પગલે પગલે ઉત્સવ થતો. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ આપોઆપ સર્જાઈ જતું. કેટલેક સ્થળે સ્થાનિક માણસો વચ્ચે સુમેળ ન હોય તો સુમેળ સ્થપાઈ જતો. સુમેળ સ્થાપવા તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ યાદ છે. દહાણુ પાસે બોરડી અને ગોલવડ નામનાં બે ગામ છે. ત્યાં જૈનોની ઠીકઠીક વસ્તી છે. બોરડીમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. હું અને મારી પત્ની ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન પૂજ્ય મહારાજસાહેબને એવો વહેમ પડતો હતો કે આ મહોત્સવમાં ગોલવડના આગેવાનો ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ રહ્યા કરે છે. આચાર્ય મહારાજે તેમાંના કેટલાકને બોલાવીને તેમની વાત જાણી. બંને ગામના લોકો વચ્ચે સુમેળ કરાવવા માટે એમણે જાહેર કર્યું કે પ્રતિષ્ઠાને બીજે દિવસે સવારે દેરાસરના દ્વારનું ઉદ્ઘાટન કરવાનો લાભ ગોલવડના સંઘને જ મળવો જોઈએ. એ માટે ગોલવડના સંઘે વહેલી સવારમાં ગોલવડથી વાજતેગાજતે બોરડી આવવું પડે. સાથે આચાર્ય મહારાજ હોય તો જ એ શોભે. પરંતુ આચાર્ય મહારાજને હૃદયરોગની બીમારી હતી. એ શ્રમ લેવાનું કેમ કહી શકાય ? પરંતુ આચાર્ય મહારાજે સામેથી પોતાની તત્પરતા બતાવી. વહેલી સવારમાં પોતે બોરડીથી વિહાર કરી ગોલવડ ગયા અને ગોલવડના સંઘ સાથે પાછા તરત જ વિહાર કરી બોરડી પધાર્યા. પોતાની નાદુરસ્ત તબિયત છતાં બંને ગામના સંઘો વચ્ચે સુમેળ કરાવવાને માટે તેમણે વિહારનું આટલું બધું કષ્ટ ઉઠાવ્યું. મહારાજશ્રી મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિચર્યા હતા ત્યારે ભરૂચ પાસે દહેજ બંદરમાં એમની પ્રેરણાથી અને સહાયથી ત્યાંના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને ત્યાં પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્ય રીતે એમની નિશ્રામાં યોજાયો હતો. એ પ્રસંગે એમના ઉમળકાભર્યા આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયાં હતાં એથી એમણે બહુ જ પ્રસન્નતા અનુભવી હતી અને અમને પણ એ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો ઘણો આનંદ થયો હતો. - ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે પૂર્વ આફ્રિકામાં વ્યાખ્યાનો આપવા માટે મને અને મારાં પત્નીને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે એમની પાસે આશીર્વાદ લેવા ગયેલાં. એ વખતે કેવા કેવા વિષયો પર વ્યાખ્યાનો આપવાં વગેરે ઘણી બાબતો વિશે એમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું. એ વખતે આ મહોત્સવ નિમિત્તે મેં ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશે લખેલી પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ દર ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy