SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજી પુસ્તિકા માટે એમણે આશીર્વચન લખી આપ્યાં હતાં. એમના જ હસ્તાક્ષરનો બ્લોક બનાવી પુસ્તિકામાં મેં એક બ્લોક એક સંભારણારૂપે છાપ્યો હતો. મહારાજશ્રીની નિશ્રામાં મુંબઈથી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો ત્યારે અમે એક દિવસ માટે મુંબઈના હાઇવે પર શિરસાડથી મનો૨ ગામ સુધી પગે ચાલીને જોડાયાં હતાં. તદુપરાંત સંઘ અમારા વતન પાદરામાં પહોંચ્યો ત્યારે પણ એક દિવસ માટે અમે ફરીથી જોડાયાં હતાં. પાદરામાં મારાં દાદીમા અમથીબહેન અમૃતલાલના નામથી બંધાયેલા ઉપાશ્રયમાં મુખ્ય પ્રેરણા મહારાજશ્રીની જ હતી એટલે ઉપાશ્રયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં આ સંઘપ્રવેશ વખતે યોજાયો હતો. આ યાત્રાસંઘે જે જે ગામે મુકામ કર્યો ત્યાં ત્યાં જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરે પ્રકારનાં ઘણાં સરસ કાર્યો થયાં. વળી એક મહત્ત્વની યાદગાર ઘટના તો એવી બની હતી કે મુંબઈ છોડતાં એક કૂતરો સંઘ સાથે જોડાઈ ગયો હતો. પોતે પણ યાત્રિક હોય તેમ સંઘ સાથે તે વિહાર કરતો, વ્યાખ્યાનમાં બેસતો, નવકારશી અને ચોવિહાર કરતો. સંઘ સાથે શત્રુંજય પર્વત પર ચડી આદીશ્વર દાદાનાં એણે દર્શન કર્યાં. પાછાં ફરતાં આ પવિત્ર કૂતરાને કોણ પોતાને ઘરે રાખે એ માટે મહારાજશ્રીની નિશ્રામાં ઉછામણી બોલાવવામાં આવી હતી. પૂજ્ય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું હતું તેનો એક પ્રસંગ યાદ આવે છે. લકવાને લીધે તેમનાં જમણાં અંગો બરાબર કામ નહોતાં કરતાં. લાંબો સમય બેસી શકાતું નહિ. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજ અને યાનંદવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવાનો પ્રસંગ પાલીતાણામાં હતો. તે વખતના વડાપ્રધાન માનનીય મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના હતા. બપોર પછીનો સમય હતો. જે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિયત ઘણી નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતો. તોપણ એ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી શકાય નહિ. પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા પ્રત્યે સદ્ભાવ ઘણો બધો હતો. ગમે તેટલા તેઓ રોકાયેલા હોય તોપણ અમે ઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢવાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રવિજય મહારાજે કહ્યું, “મહારાજ઼ તમને બહુ યાદ કરતા હતા. મહારાને છ ઇંચની ધાતુની બે પ્રતિમાજી કોઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજ્જી કહે આ ૫૦ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy