SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે.' ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણો હર્ષ થયો. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી. મહારાજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બોલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતો, એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણી વાતો કરી. અમને ખૂબ આનંદ થયો. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજસાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભણીને તેના ઉપર વાસક્ષેપ નાખ્યો અને બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનનો આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતો. પૂજ્ય આચાર્ય ભગવંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્વ્યવ્રતની-બ્રહ્મચર્યની બાધા લીધી હતી ત્યારથી એમનો અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો. પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી. એમનું વચન મિથ્યા થતું નહિ. એમના વાસક્ષેપથી પોતાને લાભ થયો હોય એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ પરદેશમાં અકસ્માતથી બચી ગયાની વાત પણ હું જાણું છું. આ શ્રદ્ધાનો વિષય છે. અનેક લોકોને આવા નિઃસ્વાર્થ કરુણાસભર મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. શ્રી વિજયધર્મસૂરિ મહારાજનો શિષ્યસમુદાય વિશાળ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય-કલારત્ન-શ્રી વિજયયશોદેવસૂરિ, શતાવધાની શ્રી વિજ્યજ્યાનંદસૂરિ, પ્રખર વ્યાખ્યાતા વિજ્યકનકરત્નસૂરિ વગેરેથી જૈન સમાજ સુપરિચિત છે. તેમના શિષ્યોએ ગુરુભક્તિનું અપ્રતિમ કાર્ય કર્યું છે. લકવા થયા પછી પૂ. આચાર્ય મહારાજને બીજાની સહાયની આખો દિવસ જરૂર પડતી. એમના બધા જ શિષ્યોએ વૈયાવચ્ચનું ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે પૂ. ચંદ્રસેનવિજ્યજી મહારાજ. એમણે સતત પાંચ વર્ષ સુધી રાત અને દિવસ તેમની પૂરી સંભાળ લીધી. ઊઠવા-બેસવામાં ટેકો આપવો, શૌચાદિ ક્રિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સાફ કરવી, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી ઇત્યાદિ કાર્યો ઉપરાંત સતત જામતી ભક્તોની ભીડની મહારાજશ્રીને શ્રમ ન પડે એ રીતે વ્યવસ્થિત રાખવી - એ બધું અત્યંત પરિશ્રમભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગુરુભક્તિથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. ૫૨મ પૂજ્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનો સમાજ ઉપર અસીમ ઉપકાર છે. તેઓ દિવંગત થયા, પરંતુ તેમની પ્રસન્ન અને પ્રભાવક સ્મૃતિ અનેક લોકોનાં હૃદયમાં ચિરકાળ સુધી અંકિત રહેશે. આવા ધુરંધર મહાત્માને આપણાં કોટિશઃ વંદન હો. Jain Education International (‘તિવિહેણવંદામિ'માંથી) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy