SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે આવેલા ગામ આજોલની પાઠશાળામાં શિક્ષક બન્યા. ત્યાં તેમણે વિદ્યાર્થીઓને સૂત્રો શીખવ્યાં. પોતે શ્રીપાલ રાજાનો રાસ, ચંદ રાજાનો રાસ વગેરે રાસાઓ વાંચતા. એની અસર એમના જીવન ઉપર પણ પડતી. અહીં તેઓ ગોરજી ગણપતસાગરજી, ‘સન્મિત્ર'ના નામથી સુપ્રસિદ્ધ શ્રી કર્ખરવિજયજી, આજોલના બ્રહ્મચર્યવ્રતધારી શ્રાવક વૈદ્ય પ્રેમચંદ વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યા. આજોલમાં તેઓ “માસ્તરના નામથી વધુ પ્રસિદ્ધ બન્યા. એમના પવિત્ર વ્યક્તિત્વના પ્રભાવથી આજોલનાં કેટલાંયે પટેલ કુટુંબોએ જૈન ધર્મ સ્વીકારી લીધો હતો. અહીં જ એમને વળગેલો ચોથિયો તાવ ઘણા ઉપચાર છતાં નહોતો મટ્યો તે યતિ ગણપતસાગરજીએ આપેલા મંત્રના જાપથી મટી ગયો હતો અને તેથી મંત્રશક્તિમાં એમની શ્રદ્ધા દઢ થઈ હતી. આજોલમાં જ તેઓ ઠાકરડા-બહારવટિયાઓનો સામનો કરવા હાથમાં ડાંગ લઈ રજપૂતોની સામે નીકળી પડ્યા હતા. એમની યુવાનીનું ક્ષાત્રતેજ ત્યારે ઝળકી ઊઠ્યું હતું. - રવિસાગરજી મહારાજ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ગાઢ થતો ગયો. એ સંપર્કથી જૈનધર્મના વધુ ઊંડા સંસ્કાર તેમનામાં આવતા ગયા. રાત્રિભોજન અને અભક્ષ્યનો તેમણે ત્યાગ કર્યો હતો. હવે એમણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ચાલુ કરી. પાઠશાળાની ઈનામી સ્પર્ધાઓમાં તેમને ઇનામો મળવા લાગ્યાં. કેટલાંયે સ્તવનો તેમણે કંઠસ્થ કર્યા. તેઓ જુદા જુદા સાધુમહારાજોના સંપર્કમાં આવ્યા. એમાં એક વયોવૃદ્ધ સાધુ મહારાજ શ્રી ગુમાનવિજયજી પ્રત્યે તેમને ઘણી શ્રદ્ધા થઈ હતી. વળી, પોતાના અંતિમ દિવસોમાં રવિસાગરજી મહારાજે બહેચરદાસને પોતે જે રોજ ગણતા હતા તે નવકારવાળી પોતાની સ્મૃતિ તરીકે આપી અને આત્મસાધના કરવાની ભલામણ કરી. બહેચરદાસની ત્યારે ૨૩ વર્ષની ઉમર હતી. તેઓ મહારાજની સેવાચાકરી કરતા. અવાજ એમનો બુલંદ હતો. તેઓ મહારાજશ્રીને ઉચ્ચ સ્વરે સ્તવન-સઝાય સંભળાવતા. જૈન સાધુઓનું જીવન જોઈ એમને સંયમનો રસ લાગ્યો હતો. દીક્ષા લઈ સાધુ થવું કે ન થવું તેનું મંથન તેમના દિલમાં ચાલુ થયું હતું. પરંતુ એટલું તો નક્કી કરી લીધું હતું કે પરણીને ગૃહસ્થાશ્રમ માંડવો નથી. આજોલમાં બહેચરદાસનો વિદ્યાભ્યાસ વધતો જતો હતો. ત્યાં કાશીથી એક વૃદ્ધ યતિ આવ્યા હતા. એ યતિએ બહેચરદાસને “વર્ધમાન વિદ્યા', “ઋષિમંડલ' તથા સૂરિમંત્ર'ની ગુરુગમ આમ્નાયો બતાવી હતી. પતિ કાશી પાછા ફરતા હતા ત્યારે કાશી જઈ વધુ અભ્યાસ કરવા બહેચરદાસને મન થયું, પણ પછી એ અજાણ્યા દેશમાં જવાનું માંડી વાળીને મહેસાણામાં જ ગુરુ મહારાજ શ્રી રવિસાગરજીની શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy