SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાથી સ્થપાયેલી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરવા માટે તેઓ આજોલ છોડી મહેસાણા જઈને રહ્યા. વૃદ્ધાવસ્થાને કારણે શ્રી રવિસાગરજી મહારાજે ત્યાં સ્થિરવાસ કર્યો હતો. બહેચરદાસ ત્યાં એમના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. ઘણુંખરું એમની પાસે જ રહેતા અને એમની વૈયાવચ્ચ કરતા. પંચોતેર વર્ષની વયના શ્રી રવિસાગરજી મહારાજે કેટલાક દિવસ પહેલાં પોતાના કાળધર્મના દિવસની આગાહી કરી દીધી હતી અને એ દિવસે પદ્માસન વાળીને, કાઉસગ્ગ ધ્યાનમાં સમાધિપૂર્વક, અનેક લોકોની હાજરી વચ્ચે પોતાનો દેહ છોડ્યો હતો. બહેચરદાસ અંતિમ ક્ષણ સુધી એમની પાસે જ રહ્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજે પોતાના અંતિમ દિવસોમાં એવી એક આગાહી કરતાં બહેચરદાસને કહ્યું હતું કે આગળ જતાં તું દીક્ષા લેશે અને અમારા સમુદાયમાં તું મોટું નામ કાઢશે. બહેચરદાસને એમણે નીચે પ્રમાણે કેટલીક મહત્ત્વની શિખામણો પણ આપી હતી. (૧) ભણતર આત્માને તારવા માટે છે. ચૌદ પૂર્વના ધારક મુનિઓ પણ પ્રમાદથી પતિત થયા છે. માટે ભણીગણીને રાગદ્વેષ ન થાય એ જ ધ્યાનમાં રાખવાનું છે. (૨) ભણ્યા-ગણ્યાનો અહંકાર ન કરવો. (૩) દરેકની સાથે કારણ પડઘે જરૂર પૂરતું જ બોલવું. (૪) ઘણા સાધુઓના સમાગમમાં વિવેક ને વિનયપૂર્વક ભલે આવવું, પણ એકબીજાએ કરેલી વાતો મનમાં રાખવી. સાધુઓની પાસે ખાનગીમાં બહુ બેસવું નહિ. (૫) કોઈ પણ મનુષ્ય માટે એકદમ સારો કે એકદમ ખોટો અભિપ્રાય બાંધી દેવો નહિ. (૬) પોતાના અભ્યાસમાં ચિત્ત રાખવું. કોઈના ઘરે જમવા જવું ત્યાં સ્ત્રીવર્ગ સામે જોવું નહિ. જમ્યા બાદ તરત ઉપાશ્રયમાં ચાલ્યા આવવું. (૮) દરરોજ નવ વાગે મને ‘નવસ્મરણ” સંભળાવવાં, કારણ કે તને શુદ્ધ રીતે બોલતાં આવડે છે. શ્રી રવિસાગરજી મહારાજના કાળધર્મથી બહેચરદાસે જાણે શિરછત્ર ગુમાવ્યા જેટલું દુઃખ અનુભવ્યું. તેઓ તેમની પાસે હૃદય ખોલીને વાત કરી શકતા અને તેમની પાસેથી નિઃસ્વાર્થ, સાચું માર્ગદર્શન વાત્સલ્યપૂર્વક મળી શકતું. શ્રી રવિસાગરજીના કાળધર્મ પછી બહેચરદાસે અને એમના એક મિત્ર ૬ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy