SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીમાંથી બહાર આવ્યા. એમ કરતાં કરતાં તરવાનું શીખી ગયા. પછી તરવામાં એક્કા થઈ ગયા અને ગામના બીજા છોકરાઓને પણ શીખવવા લાગ્યા હતા. પોતાની શારીરિક તાકાત, નિર્ભયતા અને મનોબળ વડે બહેચરદાસ ગામના બધા છોકરાઓના નેતા જેવા બની ગયા હતા. એવામાં વિજાપુરમાં વિસાગર નામના જૈનાચાર્ય પધાર્યા હતા. એક દિવસ સવારમાં ગામને પાદર તેઓ સ્થંડિલ માટે જતા હતા ત્યારે બે ભેંસો લડતી લડતી રવિસાગર તરફ ધસતી હતી. બહેચરદાસે એ દૃશ્ય જોયું. એમને ભય લાગ્યો કે રખેને આ ભેંસો જૈન મહારાજને અડફેટમાં લઈ પાડશે તો મહારાજ મોતના પંજામાં પડશે. એટલે એમણે પોતાના હાથમાં રહેલી ડાંગ એક ભેંસને જોરથી ફટકારી. એથી બંને ભેંસો છૂટી પડીને ચાલી ગઈ. રવિસાગરજી બચી ગયા. પરંતુ એ દૃશ્ય જોનાર રવિસાગરજી મહારાજે બહેચરદાસને પાસે બોલાવી પ્રેમથી કહ્યું, ભાઈ ! મૂંગા ઢોરને આમ મરાય નહિ. એને કેટલું દુઃખ થાય !’ રવિસાગરજી મહારાજે જે વાત્સલ્યભાવથી થોડા શબ્દોમાં આ શિખામણ આપી તે બહેચરદાસના હ્રદયમાં એવી સોંસરી ઊતરી ગઈ કે જાણે કે આ ઘટનાએ એના સમગ્ર જીવનમાં પરિવર્તન કરી નાખ્યું. આ કોઈ મોટા મહાત્મા છે, એમના પિરચયમાં આવવા જેવું છે એવી અંતરમાં તરત પ્રતીતિ થઈ ગઈ. ઉપાશ્રય ઈ રવિસાગરજી મહારાજનો વધુ પરિચય કર્યો અને પૂર્વના કોઈ ઋણાનુબંધથી રવિસાગરજી મહારાજને પણ બહેચરદાસના જીવનમાં રસ પડ્યો. વિદ્યાર્થી તરીકે તે તેજસ્વી હતા અને ગામઠી નિશાળમાં ભણવાનું ચાલતું હતું. પરંતુ તેઓ વધુ હોશિયાર થાય એ માટે અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, ઉર્દૂ વગેરે ભાષાઓ શીખવા માટે વિસાગરજીએ જૈન ગૃહસ્થોને ભલામણ કરીને પ્રબંધ કરાવી આપ્યો. વિજાપુરમાં તે સમયના નથુરામ મંચ્છાચંદ દોશી નામના ગૃહસ્થે તેમાં ઘણી આર્થિક મદદ કરી અને બધી સગવડ કરાવી આપવામાં અંગત રસ લીધો. બહેચરદાસે વિજાપુરમાં જૈન વિદ્યાર્થીઓ માટે સાંજે ચાલતી પાઠશાળામાં જૈન સૂત્રો ભણવાનું ચાલુ કર્યું. પાઠશાળાના બ્રાહ્મણ શિક્ષકનું નામ હતું રવિશંકર જાની. એમણે બહેચરદાસને સમજાવ્યું કે જૈન પાઠશાળામાં અભ્યાસ કરવાનું તો જ વધુ યોગ્ય ગણાય જો રાત્રિભોજનનો ત્યાગ થાય અને ડુંગળી, લસણ વગેરે ખાવાનું છોડી દેવામાં આવે. બહેચરદાસને પાઠશાળામાં અભ્યાસ કરવાની લગની લાગી હતી. એટલે એમણે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. આમ, બાલ્યાવસ્થાથી જ બહેચરદાસમાં જૈનત્વના સંસ્કાર પડવા લાગ્યા હતા. વિદ્યાભ્યાસ કર્યા પછી ખેતીના વ્યવસાયમાં ન રહેતાં તેજસ્વી બહેચરદાસ Jain Education International ૪ * ચરિત્રદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy