SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સારા વક્તા બનવાની એમને ઘણી હોંશ હતી. મિત્ર ડાહ્યાભાઈએ એમને સરસ્વતીદેવીનો મંત્રજાપ એક જૂની હસ્તલિખિત પોથીમાંથી ઉતારી આપ્યો અને ગામના દેરાસરમાં જઈ, એકાંત સમયે પદ્માવતી દેવીની પ્રતિમા પાસે બેસી મંત્રજાપ કરવાનું કહ્યું. એમ કરવાથી બહેચરદાસને જાણે સરસ્વતીદેવી પ્રસન્ન થયાં હોય એવો અનુભવ થયો. એમની વફ્તત્વછટા અને લેખનની કલા જાણે વિકસવા લાગી. બહેચરદાસનો વચ્છરાજ નામનો એક સહાધ્યાયી હતો. તે જાતે બારોટ હતો અને કવિતા કેમ વાંચવી તે જાણતો હતો. એણે બહેચરદાસમાં કવિતાનો રસ જગાડ્યો હતો. શાળામાં ભણવું અને ખેતરમાં કામ કરવું એ બે બહેચરદાસની મુખ્ય પ્રવૃત્તિ સાથે મંત્રજાપ અને જોડકણાં બનાવવાની પ્રવૃત્તિ ચાલતી. બહેચરદાસ ભરથરી, જોગી, સાધુબાવાઓ, રાવણહથ્થાવાળાઓ વગેરે પાસે બેસી પદો, ભજનો સાંભળતા. એ સાંભળીને એવી કવિતા લખવાનું તેમને પણ મન થઈ જતું. કિશોરાવસ્થામાં જ બહેચરદાસની કવિતા- સરવાણી ફૂટી હતી. એ દિવસોમાં એમણે એક પ્રાર્થના-કાવ્ય લખ્યું હતું જેની આરંભની કડીઓ નીચે પ્રમાણે હતી : ઓ ઈશ્વર ! માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને, પ્રભુ! લે મારી સંભાળ. મારી વિદ્યા આપ તું, દુર્ગુણ-દોષો ચળ; કૃપા કરી મુજને, પ્રભુ! ગણજે તારો બાળ. એક વખત વિજાપુરના વિદ્યાર્થીમંડળમાં મિત્ર વચ્છરાજના આગ્રહથી એમણે મોટા થવા વિશે કાવ્યરચના રજૂ કરી હતી, જેની આરંભની કડી નીચે પ્રમાણે હતી : જનો મોટય થાતા, જનો પંકાતા, સારાં કરીને કાજ; દુઃખને વેઠી વિદ્યા ભણે છે, હૈડે રાખી હામ. ખંતીલા, ઉત્સાહી, ટેક, ઉદ્યમી રખે નામ. શ્રી બુદ્ધિસાગરસૂરિએ ઘણાં પદો, ભજનો, સ્તવનો લખ્યાં, મોટી પૂજાઓ લખી તથા સંસ્કૃતમાં શ્લોકરચનાઓ કરી એ એમની વિકસિત કવિત્વશક્તિનાં બીજ કિશોરાવસ્થાની એમની કાવ્યપ્રવૃત્તિઓમાં જોઈ શકાય છે. એમની પાસે નૈસર્ગિક કાવ્યશક્તિ હતી તેની એ પ્રતીતિ કરાવે છે. શાળાના મિત્રો સાથે બહેચરદાસ ગામની સીમમાં, ખેતરોમાં ફરવા, રખડવા જતા. બહેચરદાસ શરીરે ખડતલ હતા. ઝાડ ઉપર ચડીને કૂદકો મારતા. એમને તરવાનું આવડતું નહિ. પાણીમાં પડતાં ડર લાગતો. એક દિવસ ગામના તળાવની પાળે ઊભા હતા ત્યાં પાછળથી એક મિત્રે ધક્કો માર્યો. ઊંડા પાણીમાં પડ્યા. હવે હાથપગ હલાવ્યા વગર છૂટકો નહોતો. હાથપગ જોરથી હલાવ્યા અને ઊંડા શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ - ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy