SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તેણે નિહાળ્યો. પોતે બુદ્ધિશાળી હતો એટલે પ્રયોગનું રહસ્ય તરત સમજી ગયો. તેણે પ્રયોગ પૂરો થયા પછી પાદરીને કહ્યું કે “સાચા-ખોટા ભગવાનની જળપરીક્ષા પૂરી થઈ. હવે મારે તમને આ ભગવાનની અગ્નિપરીક્ષા કરી બતાવવી છે. માટે બંને ભગવાન મને આપો.” પાદરી તરત વાત પામી ગયા, કારણ કે ભગવાન વિષ્ણુની મૂર્તિ પથ્થરની હતી અને ઈશુ ખ્રિસ્તની મૂર્તિ લાકડાની હતી. પરંતુ બંને રંગેલી હતી એટલે ભોળા લોકોને તેના ફરકની ખબર પડતી નહિ. જો અગ્નિપરીક્ષા કરવામાં આવે તો ઈશુ ખ્રિસ્તની મૂર્તિ બળીને ખાખ થઈ જાય. એટલે પાદરીએ આડાંઅવળાં ગલ્લાતલ્લાં કર્યા અને તરત ત્યાંથી તેણે વિદાય લીધી. પેલા યુવાને લોકોને આવા ભરમાવનારા ધર્મપ્રચારથી ન દોરવાઈ જવા માટે શિખામણ આપી. પાદરીની સામે પડકાર ફેંકનાર એ યુવાનનું નામ હતું બહેચરદાસ પટેલ, જેઓ પાછળથી જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરીકે સુવિખ્યાત બન્યા. બહેચરદાસ જાતે પાટીદાર હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં વિ. સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૪માં) મહા વદ ચૌદસના રોજ મહાશિવરાત્રિના પર્વના દિવસે રાતના બાર વાગે એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શિવદાસ હતું અને માતાનું નામ હતું અંબાબાઈ. શિવદાસના એ પાંચમાં સંતાન હતા. શિવદાસ ખેડૂત હતા. પતિ-પત્ની આખો દિવસ ખેતરમાં કામ કરતાં. ખેડૂતો સામાન્ય રીતે કરે છે તેમ ઝાડની નીચી ડાળી ઉપર ઝોળીની જેમ લૂગડું બાંધીને તેમાં નાના બાળકને સુવાડે. એવી રીતે નાના બાળક બહેચરદાસને રોજ સુવાડતા હતા. એક દિવસ ખેતરમાં એવી રીતે બાળકને સુવાડ્યું હતું ત્યારે તે ડાળને બાંધેલી ઝોળી ઉપર એક કાળો મોટો નાગ આવ્યો. એ જોઈને અંબાબાઈ ડઘાઈ ગઈ. નાગ ડંખ મારે તો ઊંઘતા બાળકનું તરત મૃત્યુ થાય. એ દશ્ય જોઈ એમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સાથેસાથે પોતાને જેમાં પરમ શ્રદ્ધા હતી એવી બહુચરા માતાની તરત માનતા પણ માની લીધી. થોડી વારમાં નાગ ત્યાંથી ચાલ્યો ગયો. બાળક બચી ગયું. એટલે માતા-પિતાએ બાળકનું નામ બહેચરદાસ રાખ્યું. - બહેચરદાસ મોટા થતાં એમને ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા. ભણવામાં તે તેજસ્વી હતા. સહાધ્યાયીઓમાં એક ડાહ્યાભાઈ નામનો જૈન વિદ્યાર્થી હતો, એણે બહેચરદાસને સરસ્વતીદેવીનો મંત્રજાપ શીખવ્યો હતો. પોતે કણબીના છોકરા છે એટલે પોતાને વિદ્યા નહિ ચડે અને પોતે પંડિત નહિ થઈ શકે એવો ડર બહેચરદાસના મનમાં હતો. પરંતુ વિદ્વાન બનવાની તથા ૨ = ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy