SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પ્રસંગો ટાંકીને અસરકારક રીતે દર્શાવ્યું છે. નાના બાળકની શૌચક્રિયા, કૂવે બાનું પાણી ભરવા જવું, લેખકને વીંછી કરડવો, ઘેર એકદા બાવાનું આવવું, મરણપ્રસંગે રેવાબા – સ્વજનના કે અન્યના મૃત્યુમાં પણ – લોહીની ટશરો ફૂટે ત્યાં સુધી છાતી કૂટતાં, ગામમાં ઈરાની સ્ત્રીઓ આવે ત્યારે સંતાનોને મા કેવી રીતે સાચવે, રોજ સવારે મા દેરાસર જતાં, મુંબઈ બાનું રહેવા જવાનું બન્યું, પોતાનું કે અન્યનું કશું કામ કરવામાં લગીરે નાનમ ન અનુભવવી, આર્થિક મુશ્કેલીવેળા પતિની ના છતાં બાએ પિયરની બે સોનાની બંગડીઓ વેચી દેવા પતિને દૃઢતાથી સમજાવ્યા, હઠે ભરાયેલા બાળકના મનને જીતવાની બાની વાત્સલ્યભરી રીત, અંતિમ દિવસોમાં મોતિયાનું ઓપરેશન ન જ કરાવ્યું – વગેરે અનેક અનેક ઘટનાઓ બાની તૃપ્તિભરી, સમજદાર અને સચ્ચાઈભરી અજબ જીવનશૈલીને ચરિતાર્થ કરી રહે છે. આવી બાની કૂખે જન્મવાથી ચરિત્રકાર ધન્યતા અનુભવે એ સ્વાભાવિક છે. દોશીકાકા ઉપરનું ચરિત્ર પણ આજના સમાજમાં રણ વચ્ચેની મીઠી વીરડી જેવું છે. દોશીકાકા ચરિત્રકારના સગા નથી પણ સંબંધી છે. પણ એવા સંબંધી કે સગાથી પણ ચડિયાતા પુરવાર થાય. ચરિત્રકારે શીર્ષકમાં જ “અમારા' અને પૂજ્ય એવાં બે વિશેષણો વાપરીને દોશીકાકા સાથેના આત્મીય અને પૂજ્ય સંબંધને સરસ રીતે ધ્વનિત કરી આપ્યો છે. સમગ્ર ચરિત્રમાં દોશીકાકા વ્યક્તિ કરતાં એક સંસ્થા જેવા, ઘેઘૂર વડલા જેવા વધુ લાગે છે. એવા સમર્પિત વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય તેના ઉત્તમ દષ્ટાંતરૂપ દોશીકાકા છે. ચરિત્રકારે યોગ્ય રીતે જ ગાંધીજી, વિનોબાજી, રવિશંકર, બબલભાઈ, સચ્ચિદાનંદ વગેરેમાંથી દોશીકાકાને પ્રેરણા મળતી રહે છે તે સ્પષ્ટ કર્યું છે. દોશીકાકાની સારા ગ્રંથોની પત્ની ભાનુબહેન સાથે સહવાચનની ટેવ, વિવિધ સમિતિઓમાં તેમની કામગીરી, ચિખોદરાની હોસ્પિટલ દ્વારા તેમણે ઉપાડેલું નેત્રયજ્ઞનું કાર્ય, આઠસોથી વધુ નેત્રયજ્ઞોનું તેમણે કરેલું કાર્ય, દર્દીને દેવ જેવો ગણવાની અને ફી લીધા વિના સેવા કરવાની તેમની નેમ, જમવામાં તેમના કેટલાક વ્રત-નિયમ, ગરીબો કેરી ખાવી શરૂ કરે પછી જ કેરી ખાવી તેવા દૃઢાગ્રહ, એ.સી. વિનાની ઓફિસમાં જ કામ કરવાનું વલણ, દુર્ગમ અને જ્યાં લૂંટાઈ જવાનો ભય હોય ત્યાં પણ દોશીકાકાનું નેત્રયજ્ઞ માટે ધસી જવું, પોલીશ વિનાના ચંપલ પહેરવાનો સહજ સ્વીકાર, પોતે અગવડ ભોગવી બીજાને સગવડ કરી આપવાની તત્પરતા વગેરે અનેક ગુણો દોશીકાકાના પરગજુ વ્યક્તિત્વને અહીં હૂબહૂ કરી આપે છે. કોઈના પ્રત્યે શત્રુતા નહિ, વેર કે કડવાશ નહિ, માત્ર પ્રેમ જ દોશીકાકાની પ્રકૃતિ હતી. ગાંધીયુગના છેલ્લા અવશેષરૂપ દોશીકાકાની ચરિત્રકારે સાચા અર્થમાં જ વૈષ્ણવજન કે શ્રાવક તરીકેની ઓળખ આપી છે. દોશીકાકા અને ભાનુબેહનને મળતાં ચરિત્રકારે માતાપિતા પાસે હોઈએ એવું અપાર વાત્સલ્ય ३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy