SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નજીકથી–પેલાં ચરિત્રોની સાથે સાથે ફોરતું રહ્યું છે. આવાં આપ્તજનો સાથે અનેક સ્મૃતિઓ સંકળાયેલી હોય એ સ્વાભાવિક છે. પરિણામે એવાં ચરિત્રો અન્ય, સંક્ષિપ્ત ચરિત્રોને મુકાબલે, થોડો વધુ વિસ્તાર દાખવે છે પણ તેથી ચરિત્રોની રસાવહતા ઓછી થતી નથી. દર્દ અને દિલ બંને ભેગાં મળી એવાં ચરિત્રોને વધુ સ્મરણીય બનાવે છે. “મારા પિતાશ્રી', “મારાં માતુશ્રી સ્વ. રેવાબા' એ બંને તેમનાં જ માતા-પિતાનાં, કહો કે રૂપાન્તરે ખુદનાં કુળ-મૂળની ઓળખ આપી રહેતાં ચરિત્રો છે, તો સંચયનું છેલ્લું ચરિત્ર “અમારા પૂજ્ય શ્રી દોશીકાકામાં ચરિત્રનાયક સીધી રીતે પારિવારિક સગપણ દાખવતા નથી છતાં સા કાકાથી સવાયા કાકા હોય તેવી તેમની સાથેની લેખકની, લેખકના પરિવારની આત્મીયતા રહી હોવાથી તેને અહીં સ્થાન આપ્યું છે. અહીં ચરિત્રનાયક અને ચરિત્રલેખક “મારા પિતાશ્રી'માં અંગત સૂત્રે બંધાયેલા હોવા છતાં નિરૂપણમાં પૂરતો વિવેક રહ્યો છે. સોમા વર્ષેય પિતા કેવા સ્વસ્થ. નિર્વ્યસની, પ્રભુભક્તિરત અને ઊણોદરી વ્રતધારી રહ્યા છે એ ભૂમિકા બાંધીને પીઠઝબકાર પદ્ધતિએ ચરિત્રને ખીલવે છે. પિતાનો જન્મ, જન્મ સ્થળ પાદરા અને તેનો સઘળો વીગતપ્રચુર ને રસપ્રચુર ઇતિહાસ, એમાં આવતાં અમૃતલાલબાપા, અમથીબહેન, ડાહ્યાકાકા, ચંદુભાઈ વગેરેનાં સુખ-સુઘડ ચિત્રો, એ વચ્ચે પિતાનું નિરાળું વ્યક્તિત્વ, આર્થિક ચઢાવ-ઉતાર, સંકળામણો, પિતાશ્રી સાથે માતુશ્રીના વ્યક્તિત્વની એકસૂરતા, પિતાની સાદગી, ધર્મમયતા, સરળતા, તેમનું નિરભિમાની વ્યક્તિત્વ, નિઃસ્પૃહતા – આ સર્વનું વિવિધ પ્રસંગો દ્વારા આસ્વાદ્ય વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. કોઈ વાર્તા વાંચી રહ્યા હોઈએ તેવી જિંદગીના લોલકની આવનજાવન ચરિત્રકારે અહીં કશી આડશ વિના શબ્દાંકિત કરી છે. ચરિત્ર એમ માત્ર ચરિત્ર રહેવાને બદલે ચરિત્રથી કંઈક વિશેષ રહીને તેના ભાવકને પણ જીવન જીવવાની અવનવી ચાવીઓ પૂરી પાડે છે. એવું જ રસપ્રદ ચરિત્ર તેમની માતા રેવાબાનું છે. પિતા ઉપરના ચરિત્રની જેમ આ પણ લેખકના શબ્દોમાં કહીએ તો “ભાવથી લખાયેલું ચરિત્ર છે. સંયુક્ત કુટુંબમાં એક સમયે વિશાળ પરિવાર વચ્ચે જીવતી ઘરની મુખ્ય નારીનું વ્યક્તિત્વ કેવાં પરિણામો અને પરિમાણો પરિવાર માટે ઊભાં કરતી – તકલીફો વેઠીને પણ – તેનો ચિતાર ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર'માં ગુણસુંદરીના પાત્ર દ્વારા બરાબર આપ્યો છે. ગુજરાતમાં ત્યારે અને આજે પણ એવી ગુણસુંદરીઓ હતી અને છે. રેવાબાનું ચરિત્ર પણ કંઈક એ પ્રકારનું પતિપરાયણ, પરિવારપરાયણ, સંતાનપરાયણ, ધર્મ અને સંસ્કારપરાયણ રહ્યું છે. અભણ હોવા છતાં કોઠાસૂઝ એવી કે ગમે તેવા ઝંઝાવાતમાં પણ કુટુંબનું નાવ તેઓ અડોલ રાખી શકતાં. સુખ અને દુઃખ ઉભયમાં એવી માતાએ કેવું સમત્વ દાખવ્યું છે તે લેખકે ३६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy