SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ્યું છે. જાણે કે જન્માન્તરનો સંબંધ ન હોય !—એવું જે લાગ્યું છે તે આ ચરિત્ર વાંચતાં તેમની તેવી સંવેદનાનો તાળો મળી રહે છે. પરમાનંદ કાપડિયા, જોહરીમલ પરીખ અને કેડેટ આન્દ્રાદે – આ ત્રણે ચરિત્રો પણ ધ્યાનપાત્ર બન્યાં છે. તેમનાં વિવિધ પાસાંને તેમણે સરસ રીતે ઉજાગર કરી બતાવ્યાં છે. સરળ અને સમુચિત શૈલી તેના વિશેષ અંગ છે. આ ઓગણત્રીસ ચરિત્રો રમણલાલની ચરિત્રકાર તરીકેની મહત્ત્વની લાક્ષણિકતાઓ પ્રકટ કરી આપે તેવી સમૃદ્ધિ દાખવે છે. રમણભાઈનાં જૈન સ્થવિરો કે સાધુ-સાધ્વીઓ ઉપરનાં, સાહિત્યકારો કે આપ્તજનો ઉપરનાં અથવા લશ્કરી માહોલને પ્રકટ કરતી વ્યક્તિઓનાં કે સ્વજનો ઉપરનાં એમ કોઈ પણ ચરિત્રો લો, એક વાત સમાનપણે જોવાય છે કે તેઓ કશું ઉભડક લખતા નથી. ચારેત્ર કેવા કેવા પ્રસંગોથી ઊપસી રહે કે પ્રભાવક બની રહે તે તેઓ બરાબર જાણે છે. હકીકતોમાંથી અમુકનું ચયન કરી, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તેને તેઓ રજૂ કરે છે. એમાં કશો વિવેક ચુકાય નહિ, અતિશયોક્તિ કે અલ્પોક્તિ થઈ ન રહે અને છતાં પૂરા આદરથી, એક અંતર સાથે, ચરિત્રની રેખાઓ સ્પૃહણીય ચરિત્ર રચી આપે તેનું તેમણે લગભગ ધ્યાન રાખ્યું છે. ડબલ્યુ.એચ. ડન જે બાહ્ય આવિષ્કરણ અને આંતરિક વૃત્તિવ્યાપારોની અપેક્ષા રાખે છે, તેવો અનુભવ આ ચરિત્રો કરાવી રહે છે. તો જે તે વ્યક્તિના જીવનના પછી તે બ્રિગેડિયરની વાત હોય કે માતા-પિતા કે સર્જક સંદર્ભે કશું કહેતા હોય પણ ડ્રાયડન જે ચોક્કસ વ્યક્તિના જીવનનો ઇતિહાસ પ્રકટવો જોઈએ એમ કહે છે – તેવો ઇતિહાસ' અથવા તો એવા ‘ઇતિહાસની કડીઓ અહીં મળી રહે છે. કશું અધ્ધર, ઉતાવળિયું, ધારણાના ટેકાવાળું તેઓ લખતા નથી. વ્યક્તિનું જીવન જુદા જુદા પ્રસંગ, પરિસ્થિતિએ કેવી રીતે ઉત્ક્રાન્ત થતું રહ્યું છે તે ઉપર ચરિત્રકારની નજર અહીં રહી છે. આ ચરિત્રોમાં ઇતિહાસ', ‘વ્યક્તિ” અને “સાહિત્ય” એમ ત્રણે ઉપર ચરિત્રકારનું ધ્યાન રહ્યું જણાય છે. પરિણામે કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર અહીં શુષ્ક બનતું નથી, કંટાળો આપે કે વાંચવું ન ગમે તેવું બન્યું નથી. “ચરિત્ર' આખરે કોઈક વ્યક્તિની “કથા' છે. એ કથાને કેમ રજૂ કરી શકાય તે કીમિયો રમણલાલ બરાબર જાણે છે અને એમાં એમને સાથ મળી રહે છે તેમના સ્વચ્છ-સ્વસ્થ, સરળ-સહજ, વસ્તુને તંતોતંત પ્રકટ કરતા ગદ્યનો. અહીં માતાપિતાના, ઉમાશંકર કે બ્રિગેડિયર દારૂવાલાના અથવા મોરારજી દેસાઈ કે શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ ઉપરના કોઈ પણ ચરિત્રને લો, જરૂર પડતાં ચરિત્રકાર વાર્તાલાપનો આશરો લે છે. એ શૈલીને પ્રસંગોપાત્ત જમાદાર બિલે કે બચુભાઈ રાવત ઉપરના ચરિત્રોમાં બન્યું છે તેમ ચિત્રાત્મક બનાવી શકે છે. માતા-પિતાનાં ચરિત્રોમાં ३८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy