SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બંને ચરિત્રો, બે શીલસુવાસિત નારીઓનાં જીવનને અનેકશઃ ઉપસાવી આપે છે. રમણલાલની નારીસન્માનભાવનાનો પરિચય પણ પરોક્ષપણે આવાં ચરિત્રોમાંથી પ્રાપ્ત થઈ રહે છે. હીરાબહેન પાઠક', 'લીલાવતીબાઈ મહાસતીજી', મેડમ સોફિયા વાડિયા”, “રંભાબહેન ગાંધી વગેરે નારીરત્નોનાં ચરિત્રો પણ જિજ્ઞાસુ વાચકોએ આ સાથે વાંચવાં જોઈએ. ચરિત્રકારના વ્યક્તિત્વનું આવાં નારીવિષયક ચરિત્રોમાંથી કોમળ, ભાવસભર પાસે પ્રકટ થાય છે. રમણલાલ એક અર્થમાં જીવનકલાધર છે. તેઓ જેમ કોઈ ચોક્કસ વિચાર કે વાદમાં બંધાયા નથી તેમ કોઈ ચોક્કસ વ્યવસાયને જ સર્વસ્વ લખી આગળ વધ્યા નથી. તેમની દુનિયા કહો કે એકસંગી કે એકરંગી નથી. એમની દુનિયામાં તેઓ અનેક દુનિયાઓને સમાવતા રહ્યા છે. તેઓ જે કાર્ય હાથમાં લે અથવા જે કાર્યનો સ્વીકાર કરે તેમાં તેઓ પૂરેપૂરા ખૂંપી જતા હતા. તેમાં જે કંઈ સ્વીકાર્ય હોય તેને અપનાવતા હતા, પોતાના જીવનરસમાં તેને ભેળવી દેતા હતા. અગાઉ કહ્યું છે તેમ હાડે શિક્ષક-સારસ્વત રહી તેઓ પોતાની ક્રિયાઓ, તેના કલાપોને આમ વિસ્તારતા રહ્યા છે અને પછી એનાં સુંદર પરિણામો વાચકના ચરણે ધરતા રહ્યા છે. એન.સી.સી.માં વીસેક વર્ષ તેમણે જે તમન્ના અને ઉત્સાહથી ગાળ્યાં છે તે તેમની એક નિરાળી જ દુનિયા હતી. એ દુનિયાએ તેમના વ્યક્તિત્વ ઉપર પણ ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. એમની ઓળખનો એક ભાગ બની રહે તેવી તેમની એ ક્ષેત્રમાં દિલચસ્પી રહી હતી. ૧૯૫૧થી ૧૯૭૦ સુધીમાં તેથી જ તેઓ ક્રમશઃ પોતાની પાત્રતા તેમાં પુરવાર કરતા રહી મેજર અને બેટેલિયન કમાન્ડર સુધીના અગત્યના હોદ્દાઓ સુધી પહોંચ્યા હતા. આ નિમિત્તે એક લેખક પોતે જ પોતાના અનુભવોની – જાત અનુભવોની વાત, ચરિત્રો વડે કે ચરિત્રોને ઉપકારક બને એ રીતે કહેતા હોય ત્યારે એનો આનંદ કંઈક નોખો જ રહેવાનો. અહીં એવી લાક્ષણિક દુનિયામાંથી જુદે જુદે ખૂણેથી પસંદ કરીને બેરર ધોન્ડી’, ‘બ્રિગેડિયર દારૂવાલા', જમાદાર બિલે અને કોર્પોરલ બારશી' જેવાં ચાર ચરિત્રોનો સમાવેશ કર્યો છે. આવાં ચરિત્રો વાચકોને તો એક નવા અનુભવિશ્વ સમક્ષ ખડા કરી જ દે પણ યુવકો માટે તો એથીય વધુ તે પ્રેરક-માર્ગદર્શક નીવડે. રમણલાલના વ્યક્તિત્વનું પણ એક નૂતન રૂપ આપણને આ ચરિત્રોની પડછે જોવા મળે છે. ગુજરાતી લેખકોમાંથી કદાચ રમણલાલ પાસેથી જ આટલી વધુ સંખ્યામાં અને પ્રત્યક્ષ અનુભવની સંડોવણીવાળાં લશ્કરી દુનિયાનાં ચરિત્રો ‘બેરરથી બ્રિગેડિયરમાં આપણને મળે છે. બેરર ધોડીનું ચરિત્ર આ પ્રકારનાં ચરિત્રોમાં નોંધપાત્ર બન્યું છે. લશ્કરમાં 33 , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy