SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રમણલાલ સુજન છે. સ્ત્રી કે પુરુષ એવા કશા ભેદ મનમાં રાખ્યા વિના જેમનું કોઈક ને કોઈક ક્ષેત્રે મહત્ત્વનું અર્પણ રહ્યું હોય છે તેને તેઓ શબ્દના કેમેરામાં તરત ‘ક્લિક' કરી દેતા જણાય છે. સ્ત્રીદાક્ષિણ્ય તેમના વ્યક્તિત્વનો એક અકાટ્ય અંશ રહ્યો છે. તેમનાં સાધ્વી ઉપરનાં કે અન્ય સન્નારીઓ ઉપરનાં કેટલાંક ચરિત્રો વાંચતાં એ વાત તરત સમજાશે. ઉત્તમને ખોળીને ઉત્તમ રૂપે રજૂ કરવાની તેમની ખેવના રહી છે. અહીં લીધેલાં હંસાબહેન મહેતા અને પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા” બંને ચરિત્રો એ સંદર્ભે નોંધપાત્ર બન્યાં છે. હંસા મહેતાનું ચરિત્ર એમના મહત્ત્વના જીવનાશોને, તેમના શાલીન અને બુદ્ધિપ્રભાયુક્ત વ્યક્તિત્વઅંશોને સ-રસ રીતે ઝીલી બતાવે છે. હિંસાબહેનનું નાની ઉંમરે એમ.એ. થવું, પરદેશમાં ભણવું, જીવરાજ મહેતા સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરી સામાજિક જીવનમાં તેના જે પ્રત્યાઘાત પડ્યા તેને સહી નિરંતર પ્રવૃત્તિરત રહેવું, ભગિની સમાજ, ધ નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઇન ઇન્ડિયામાં મંત્રી તરીકે નિયુક્ત થવું, દાંડીકૂચમાં ભાગ લેવો, જેલ જવું, પિકેટિંગ કરવું, દેશસેવિકા સંઘની સ્થાપના કરવી, મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બનવું, નાટકો, લેખો લખવા કે શેક્સપિયરનાં જાણીતાં નાટકોના અનુવાદ કરવા, ચાર્ટર ઓફ હ્યુમન રાઈટ્સમાં મહિલા પ્રતિનિધિ થવું અને પાછળથી તે પંચના પ્રમુખપદે આરૂઢ થવું, મ.સ. યુનિ. વડોદરામાં વાઈસ ચાન્સેલરપદે નિયુક્ત થવું, જીવનનાં અંતિમ વર્ષો મુંબઈમાં એકાંતવાસમાં ગાળવાં – વગેરે અનેક પ્રસંગો-ઘટનાઓના મેઘધનુષી રંગોથી આ ચરિત્ર દિપ્ત છે. ભારતીય સ્તરે નારીજગત માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવું કર્મઠ વ્યક્તિત્વ અહીં શબ્દરૂપે બની આવ્યું છે. એવું જ બીજું નારીજગત માટે પ્રેરક બની રહે તેવું સુંદર ચરિત્ર ડૉ. ઉષાબહેન મહેતાનું છે, પદ્મવિભૂષણ' જેવા રાષ્ટ્રીય ખિતાબથી વિભૂષિત ઉષાબહેનનું વ્યક્તિત્વ રાષ્ટ્રસમર્પિત હતું. ગાંધીજીની વિચારણાનો પાકો રંગ તેમને બેસી ગયો હતો. આજીવન અપરિણીત, ખાદીધારી, સરળ, નિખાલસ, અનાગ્રહી, સંનિષ્ઠ, સભર સેવાભાવી ઉષાબહેનનું વ્યક્તિત્વ કશી અપેક્ષાઓ વિનાનું, માતૃભૂમિના ઉત્કર્ષમાં સતત રત રહ્યું છે. ૧૯૪રમાં ‘હિંદ છોડોમાં કોંગ્રેસ રેડિયો'ની પ્રવૃત્તિ તે ચલાવતાં. મહાદેવભાઈના અવસાનના સમાચાર સૌપ્રથમ કોંગ્રેસ રેડિયો'એ પ્રસારિત કર્યા. પછી છાપાંઓએ. વ્યવસાયે અધ્યાપક, શાસ્ત્રીય સંગીતનાં જ્ઞાતા, અધ્યયન-અધ્યાપન ઉપરાંત લેખનપ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યાં છે. ચરિત્રકારે અહીં ચરિત્રનાયિકા સાથેના નિજી સંબંધોને સાચા અર્થમાં જ પોતાનું સદ્ભાગ્ય લેખ્યું છે. ३२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy