SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ યુનિવર્સિટીની કથળેલી સ્થિતિ વિશે તેમની વ્યથા વગેરે અનેક સંકેતો દ્વારા ચરિત્રકારે ચંદ્રવદનના લાક્ષણિક વ્યક્તિત્વની સુરેખ છબિ અંકિત કરી આપી છે. ‘તેઓ નેપથ્યમાં બીજો વેશ પહેરવા ગયા છે’ અથવા ‘અજંપાથી ભરેલા એમના આત્માને જંપ હજો !’ જેવાં ટૂંકાં, ચિરત્રના સમાપન ઉપરનાં વાક્યોમાં, ચરિત્રલેખકે ચંદ્રવદનના વિશિષ્ટ વ્યક્તિત્વ માટે કેવાં માર્મિક કથનો કર્યાં છે ! જ્યોતીન્દ્ર દવે’ એ જ્યોતીન્દ્ર દવે ઉપરનું ચિરત્ર પણ એટલું જ ભાવસભર બની આવ્યું છે. જ્યોતીન્દ્રના શીઘ્રલેખન અને શીઘ્રવક્તૃત્વ વિશે, જ્યોતીન્દ્રના સરળ, નિરભિમાની સ્વભાવ વિશે, તેમની બુદ્ધિપ્રભા વિશે, તેમના ગહન અભ્યાસ અને અંદરથી ગંભીર પ્રકૃતિ વિશે રમણભાઈએ સંક્ષેપમાં પણ સચોટ રીતે વાત કરી છે. ‘બચુભાઈ રાવત’ ચિરત્રમાં બચુભાઈના જીવનરંગો કંઈક વધુ ખૂબીપૂર્વક ઊપસતા જણાય છે. ‘કુમાર’ અને તે અંગેના કામ માટેની તેમની ચીવટ, પ્રૂફ વગેરેનું વાચન, સામગ્રીની પસંદગી, ‘ઈ.ત.’ નામથી કે પછી વગ૨ નામથી ‘કુમા૨’માં આવતાં તેમનાં લખાણો, નવા કવિ-ચિત્રકારો-લેખકો તૈયા૨ ક૨વામાં, તેમને સંકોરવા કે પ્રોત્સાહિત કરવામાં બચુભાઈનો રહેલો સિંહફાળો, ‘બુધસભા' માટેનું તેમનું દાયિત્વ, બચુભાઈનું દામ્પત્ય, ચંદ્રવદનની જેમ બચુભાઈની પણ જ્યોતિષમાં શ્રદ્ધા, લંડન કે શત્રુંજયની યાત્રાના પ્રસંગો, મહુડીની યાત્રા પછી બચુભાઈને થયેલા અણધાર્યા લાભ – વગેરે પ્રસંગોની આસપાસ ચરિત્રનાયક અને ચરિત્રકારના સ્નેહસંબંધોની થતી આવતી ગૂંથણી ને એમાંથી પર્યંતે બચુભાઈની એક ‘સજ્જન’ તરીકેની ઊપસી રહેતી મુદ્રા બચુભાઈના ચરિત્રને કલાત્મકતા અર્પી રહે છે. રમણલાલનાં આ પ્રકારનાં ચરિત્રો એક રીતે ચિરત્રનાયકોના વ્યક્તિરંગોની છબીઓ રચી રહે છે તો બીજી ત૨ફ ગુજરાત-ગુજરાતી જનજીવન અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની કેટલીક અજાણી કે અલ્પપરિચિત કડીઓ પણ સંપડાવી આપે છે. સારસ્વત તરીકે તે સૌ સાથેના પોતાના જે કંઈ સંબંધો રહ્યા છે તેનું તેમણે સહજ રીતે, કશે તેનું આક્રમણ થવા દીધા વિના નિરૂપણ કર્યું હોવાથી ચરિત્રો વધુ સાહજિક બન્યાં છે. ઉપરાંત આડલાભરૂપે રમણલાલની પોતાની નિર્મમતા ને નિખાલસતાની આદરભાવની કેટલીક વિદ્યુલ્લેખા જેવી રમણીય રેખાઓ પણ ઝબકી રહે છે. અહીં જેનો સમાવેશ કર્યો નથી પણ આવાં જ વાંચવા યોગ્ય-માણવા યોગ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરા', ‘સાધુચરિત સ્વ. ચી.ના. પટેલ’, ‘સ્વ. કવિ બાદરાયણ' અને ‘ઉમેદભાઈ મણિયાર’, ઈશ્વર પેટલીકર', વિ.૨. ત્રિવેદી' વગેરે ચરિત્રોનું પણ સ્મરણ કરવું રહે. Jain Education International ३१ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy