SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અહીં તેમના બીજા સંક્ષિપ્ત ચરિત્રને પસંદ કર્યું છે. સુખલાલજીનું વતન વઢવાણ, નેત્રજ્યોતિનું વિલીન થવું, જૈન સાધુઓ તરફ તેમનું વિકલ્પ ખેંચાણ, કાશીમાં સંસ્કૃતનો વિદ્યાભ્યાસ, બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત-જૈનધર્મના વિભાગાધ્યક્ષ તરીકેની તેમની કામગીરી, સુખલાલજી સાથે ચરિત્રકારનાં અંગત સંસ્મરણો, સંબંધસંપર્ક, પંડિતજી સાથે અમદાવાદમાં ચરિત્રલેખકનું રોજ સાંજે ફરવા જવું, પંડિતજીની શ્રવણશક્તિની એકાગ્રતા, બળવાખોર પંડિત તરીકેની સુખલાલજીની છબી, વયોધર્મ વિશેની પંડિતજીની સમજ, પંડિતજીનું વાત્સલ્ય, તેમની નિરંતરની વિદ્યોપાસના, મૃત્યુ વિશેનો પંડિતજીને થયેલો અણસાર વગેરે અનેક બાબતોને સાંકળીને પંડિતજીની અહીં એક અખંડ છબી ચરિત્રકાર ઉપસાવી આપે છે. આ છબી હૃદયસ્પર્શી બની છે. ઉમાશંકર જોશી ઉપરનું ચરિત્ર પણ એવું જ શ્રદ્ધેય અને રસાળ બન્યું છે. ચરિત્રલેખકે સાચી રીતે જ ઉમાશંકરને આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાત એવા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ તરીકે ઓળખાવ્યા છે. ઉમાશંકરની માનભરી સિદ્ધિઓની નોંધ લીધા પછી તેમણે ઉમાશંકરના સૂક્ષ્મ વ્યક્તિત્વને સુપેરે પ્રકટ કરી આપ્યું છે. “ઋત એમનો જીવનમંત્ર હતો' અથવા તો “એમના અંતરમાં એક બાજુ જેમ કાર્યસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ બીજી બાજુ અનાસક્તિ પણ રહેલી હતી. આ વાત સાથે સંમત થવું પડે તેમ છે. ઉમાશંકરના વ્યક્તિત્વનો એ નરવો ગુણ હતો. ચરિત્રલેખકે અહીં ચરિત્રનાયક સાથે પોતાનો પરિચય કેવી રીતે થયો હતો અને એ સંબંધ આગળ ઉપર કેવો વિકસતો રહ્યો હતો તેનું પણ સરસ વર્ણન કર્યું છે. બીજી બાજુ નડિયાદના સાહિત્ય પરિષદના સંમેલન વેળા મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના સંદર્ભે ઉમાશંકર વધુ પડતો ગુસ્સો કરી બેઠેલા એ બાબત પણ ચરિત્રલેખકે તટસ્થ રીતે નોંધી છે. ઉમાશંકરના દામ્પત્ય વિશે, ઉમાશંકરની સાદાઈ વિશે, ખુમારી વિશે, “સંસ્કૃતિ માટે નિસ્પૃહ અને મમત્વમુક્ત તેમની વિચારણા વિશે, ઇમરજન્સી વખતની તેમની સંવેદનશીલતા વિશે – એમ અનેક પાસાં અહીં લીલયા ઊઘડતાં આવ્યાં છે. ઉમાશંકરનું અખિલાઈભર્યું શબ્દચિત્ર એમ અહીં બની આવ્યું છે. ચંદ્રવદન મહેતાનું ચરિત્ર પણ તેમના ફક્કડ, મનમોજી, સ્વમાની, સરળ છતાં કડક વ્યક્તિત્વને સુપેરે ઉપસાવી આપનારું બન્યું છે. રમણલાલે કોલેજકાળથી માંડી ફાર્બસ સુધીના ચંદ્રવદન સાથેના અનુભવોને તેમાં વણી લીધા છે. વળી મદ્રાસમાં યોજાયેલી ગુજરાતી પરિષદના સંમેલનમાં ગવર્નરનું આવવું, રેડિયોમાં ચંદ્રવદન હતા ત્યારે સમય વિશેની તેમની પાબંદી, બચુભાઈના અભિવાદનનો કાર્યક્રમ મુંબઈમાં હતો ત્યારે ચંદ્રવદન પ્રમુખસ્થાને હતા તોપણ ન આવ્યા, ફાર્બસમાંથી ચંદ્રવદનનું રાજીનામું, ચંદ્રવદનનો મજાકિયો સ્વભાવ અને તે અંગેના કેટલાક પ્રસંગો સયાજી ३० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy