SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્ય વિશ્વોને ઉદ્ઘાટિત કરી આપે છે. સાથે ૨મણલાલનું બધામાં છેવટે તો માનવકારણ સાથે સગપણ રહ્યું છે એ વાત પણ એમાંથી તરી આવે છે. મો૨ા૨જી દેસાઈ’માં રમણલાલે અંગત અનુભવના હવાલા આપી મોરારજી દેસાઈના બહુકોણીય વ્યક્તિત્વને, સંક્ષિપ્તમાં છતાં તેમની મહત્ત્વની તમામ ખાસિયતો સમેત, સુસ્પષ્ટ કરી આપ્યું છે. નહેરુ-ઇન્દિરા સાથે તેમના સંબંધો, વડાપ્રધાનપદે તેમની કામગીરીને મુશ્કેલી, ડાંગ વિશેનો પ્રશ્ન, કટોકટી, તેમનું જિદ્દી વલણ, નિસર્ગોપચાર અને જ્યોતિષ વગેરેમાં તેમની શ્રદ્ધા, વર્તમાનપત્રોના વાચનમાં તેમની નિયમિતતા, વડાપ્રધાનપદેથી રાજીનામું વગેરે અનેક બાબતોને આ લેખકે સરસ રીતે ગૂંથી લીધી છે તો મોરારજીભાઈના વ્યક્તિત્વમાં રહેલી નિષ્ઠુરતાની પણ તેમણે નિર્ભીક રીતે નોંધ લીધી છે. સુવર્ણધારો, ગુજરાતનું વિભાવન વગેરે પ્રસંગોનું તેમણે યોગ્ય સંદર્ભે સ્મરણ કર્યું છે. ચીમનભાઈ ચકુભાઈ શાહ ઉપરનું ચરિત્ર પણ એવું જ રોચક બની રહ્યું છે. ધારાશાસ્ત્રી તરીકે, બંધારણ સભાના સભ્ય તરીકે, ચિંતક અને ચિંતનશીલ લેખક તેમજ કુશળ વક્તા તરીકે એમ તેમનાં અનેક પાસાં લેખકે અહીં પ્રસ્તુત કર્યાં છે. ચીમનભાઈના દેહત્યાગની અંતિમ ક્ષણોનું વર્ણન લેખકે સરળ છતાં અસરકારક ગદ્યમાં કર્યું છે. ‘મહાન માનવી’ લિંકન ઉપરના ચરિત્રગ્રંથમાંનો સંક્ષિપ્ત અંશ છે. છતાં આ નાના અંશમાં લિંકનના જીવનમાં પ્રવર્તતાં વિરોધી બળોની ખૂબીપૂર્વક નોંધ લેવાઈ છે. લિંકનનું સમગ્ર વ્યક્તિત્વ અહીં એ સંકેતોમાંથી સરસ રીતે બેઠું થતું જણાય છે. વિજ્ય મરચન્ટ ઉપરનું ચરિત્ર જુદી રીતે યાદગાર બની રહે છે. અહીં ક્રિકેટજગતની મોટી હસ્તીનું વ્યક્તિ તરીકે કેવું મૂલ્ય રહ્યું હતું, ગરીબોની સેવા માટેની તેમની લગની કેવી હતી, અપંગો માટેની તેમની કામગીરી કેવી રહી હતી વગેરે સાથે ક્રિકેટમાં પણ તેઓ કેવા ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા તે સમુચિત રીતે દર્શાવ્યું છે અને એમ વિજય મરચન્ટની સિદ્ધાંતનિષ્ઠા ને સહૃદય વ્યક્તિ તરીકેની એક રસભર છબી તેઓ અંકિત કરી આપે છે. - આ ચારેય ચરિત્રો પ્રમાણમાં ટૂંકાં અને સચોટ બની આવ્યાં છે. વિભિન્ન ક્ષેત્રની વ્યક્તિઓ વિશે લખતાં રમણલાલનું ખુદનું ભાતીગળ રંગોવાળું વિશ્વ પણ અછતું રહેતું નથી. રાજકારણ વિશે તે મોરારજીભાઈ કે લિંકનને મિષે લખતા હોય ત્યારે સ્પષ્ટપણે જ્યાં સંકેત કરવો જરૂરી બને ત્યાં તો તે કરે છે જ પણ એવા રાજકારણ સાથે આવી વ્યક્તિઓનું માનવકા૨ણ કેવું ઉપર રહે છે, વ્યક્તિ તરીકે તેઓ કેવા સુવાસિત રહ્યા છે તે ઉપર જ લેખક વધુ તો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે. કહો કે ચરિત્રકારનું ખરું કાર્ય જ એ છે. માટીના લોંદામાંથી તે સુઘડ આકાર નિર્માણ કરી આપે. લેખક-ચિંતક-ધારાશાસ્ત્રી ચીમનભાઈ કે વિજ્ય Jain Education International २८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy