SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા છે તે બધું ક્રમશઃ પ્રકટ કરે છે અને અંતે તેના વંદનીય સ્વરૂપ સાથે ચરિત્રને આટોપી લે છે. તેમનું લક્ષ્ય એમ સમૃદ્ધ સાધુતાનું દર્શન કરાવવાનું રહે છે. આવાં ચરિત્રો માત્ર જૈન સમાજ માટે જ નહિ, અન્ય સમાજ માટેય એટલાં જ મહત્ત્વનાં અને મનનરૂપ બન્યાં છે. રમણલાલનું પોતાનું પણ સરળ, ધર્મપરક, ગુણાનુરાગી અને ભાવુક વ્યક્તિત્વ આ સર્વ ચરિત્રોને નિમિત્તે અનાયાસ ખીલતું આવ્યું છે એ પણ આવાં ચિરત્રોની એક આડ ઉપલબ્ધિ છે. જૈનવિચારધારા સાથે કે તત્ત્વ સાથે સંકળાયેલ ભાવકો માટે રમણલાલનાંસ્થળસંકોચને કારણે અહીં ન લઈ શકાયેલાં–અન્ય ચરિત્રો પણ એટલાં જ વિચારક્ષમ ને પ્રેરણાદાયી બને તેવાં છે. શ્રી વીરતિયજી મહારાજ’, ‘શ્રી વિજ્યનેમિસૂરિ મહારાજ' જેવાં પ્રમાણમાં દીર્ઘ કહી શકાય તેવાં ચિરત્રો અથવા તો પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ, પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ, પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ', ‘શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ', 'ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી’, ‘શ્રી મોહનલાલજી મહારાજ તેમજ ‘શ્રી આનંદસાગ૨સૂર મહારાજ' વગેરે ચરિત્રો રમણલાલની ચિરત્રલેખનશક્તિની સાથે સાથે સત્પુરુષો કે સાધુ પરત્વેની તેમની આસ્થા-શ્રદ્ધાનાં પણ સૂચક છે. ચિરત્રલેખનમાં તેઓ કશું આંજી નાખવા માટે નહિ પણ શ્રદ્ધાઅંકુરણ માટે, ઉત્ક્રાન્ત થતા ચારિત્ર્યના મહિમા માટે ઘટના-પ્રસંગોનો આશરો લે છે ને એમ કરવા જતાં પરોક્ષપણે લેખકની ભીતર વહેતું સાધુતાનું ઝરણું પણ ખળખળ વહેતું જાય છે. પરિણામે વાચક એક નહિ બે વ્યક્તિથી ભીંજાતો આવતો હોય તેવું એકાધિક ચરિત્રોમાં બન્યું છે. (૬) રમણલાલનાં ચરિત્રો તેમના વ્યક્તિત્વનાં તેમ તેમના વૈવિધ્યસભર ૨સક્ષેત્રનાં પણ ઘોતક છે. તેઓ જૈન હોવા છતાં, જૈન ફિલસૂફીના જ્ઞાતા હોવા છતાં, તેના માટે તેમનો ભારોભાર આદર હોવા છતાં તેઓ કોઈ ચોક્કસ પરિઘમાં પુરાતા નથી. તેઓ પૂરેપૂરા ખુલ્લા મનના (open minded) છે, સાથે જીવનનાં સઘળાં વાનાં સાથે તેમની નિસબત રહી છે. વિધિનિષેધોમાં તે ફસાતા નથી. જ્યાં જીવન છે ત્યાં તેઓ સર્વ બાબતોનો સ્વીકાર કરે છે. કશાથી અસ્પૃષ્ટ રહેવાનું તેમને ફાવ્યું નથી. કહો કે રમણલાલ જીવનની સકલકલાનો સ્વીકાર કરે છે. તેથી જ કદાચ તેમના ચરિત્રનાયકો પણ વિવિધ ક્ષેત્રોમાંથી ઊંચકાતા આવ્યા છે. જો જૈનના પ્રભાવક સ્થવિરો તેમને આકર્ષે છે તો રાજકારણ, સેવાકારણ કે રમતકારણમાં પડેલી વ્યક્તિઓનું પણ તે તેટલું જ ખેંચાણ અનુભવે છે. એ પ્રકારની વ્યક્તિઓની સાથે તેમના અંગત સંબંધો પણ રહ્યા છે. પરિણામે એવાં ચરિત્રો વાચક માટે કેટલાંક Jain Education International २७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy