SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપેલી શિથિલતાને દૂર કરનાર, સ૨ળ-નમ્ર, વત્સલ, મધુર એવા અજરામરની મુનિ તરીકેની–સાધક તરીકેની અહીં સ્પૃહણીય છબી ઊપસી છે. જૈન-જૈનેત૨ સૌને સરખો આદર રહ્યો છે એવા અજરામર સ્વામીનું ચિત્ર-ચરિત્ર અહીં વાઘા પારેખ જેવા પ્રસંગોમાં સરસ રીતે ઉઠાવ પામે છે. યુગદિવાકર તરીકે સુખ્યાત પૂ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનું ચરિત્ર પણ સૌ કોઈને પ્રેરક બને તેવું, જીવનને ઉન્નત કરે તેવું બન્યું છે. જૈનશાસ્ત્રોનું તેમનું ઊંડું અધ્યયન, તેમનું હાજરજવાબીપણું, દરેક વ્યક્તિ માટે તેમનો અંગત રસભાવ, વિવિધ ભાષાઓ ઉપરનું તેમનું અસાધારણ પ્રભુત્વ, દુષ્કાળ, રેલરાહત વગેરે કાર્યોમાં તેમની અગ્રેસરતા, ભાઈ નાદુરસ્ત તબિયત છતાં યશોવિજ્યજી મહારાજ અને જ્યાનંદવિજ્યજી મહારાજને આચાર્યની પદવી આપવાના પ્રસંગમાં મોરારજી સાથે તેમની ઉપસ્થિતિ, ચરિત્રલેખક સાથેના તેમના અંગત આત્મીય સંબંધો વગેરે અનેક બાબતો અહીં સહજ રૂપે ગૂંથાતી આવે છે, અહીં સમાન્તરે ચરિત્રનાયક અને ચરિત્રના આલેખક બંને વાચક સામે રમ્ય રીતે-રૂપે ઊઘડતા રહે છે જે આ ચરિત્રનો કંઈક વિશેષ પણ છે. પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ એ તેજસ્વી સાધ્વીરત્ન મૃગાવતીશ્રીજીનું સુંદર ચરિત્ર છે. દેશભરના પ્રબુદ્ધ જનોમાં તેમનું નામ આદરભાવથી લેવાતું આવ્યું છે. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કોશ, આગમ વગેરે ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારના ઉચ્ચ સદ્ગુણોનો સુભગ સમન્વય થયેલો હતો. સાંપ્રદાયિક સંકુચિતતાથી તેઓ ઘણે દૂર હતાં, તો પ્રદેશભેદ પણ તેમનામાં રતીભાર નહોતો. સૌ તરફ તેઓ માન-સન્માનની ભાવનાથી જોતાં. હાથે વસેલી ખાદી જ પરિધાન કરતાં. સાદગી અને સંયમની તેઓ સાક્ષાત મૂર્તિ સમાં હતાં. મૃગાવતીજીનું સમગ્ર વ્યક્તિત્વ પ્રેમ અને કલ્યાણના સ્રોત્ સમું હતું. ચિરત્રના આલેખકને તો તેમના નિધનથી માતા ગુમાવ્યાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ સાથે વર્ણન-નિરૂપણેય એવું સચોટ થયું છે કે સહૃદય ભાવક પણ તેવી જ લાગણી અનુભવે. જૈન સંપ્રદાયમાં કેવાં કેવાં ઉત્તમ સાધ્વીરત્નો હશે તેની કલ્પના વાચક આ નમૂનેદાર ચિરત્ર ઉપરથી પણ કરી શકે. રમણલાલનાં આ પ્રકારનાં, ધર્માવલંબી સાધુ-સાધ્વીઓનાં ચરિત્રોમાં, જે તે ચરિત્રનાયકનું સર્વસ્પર્શી ને નિઃશેષ ચિત્રણ થયેલું જોવા મળે છે. આવાં ચિરત્રોનું નિમિત્ત વ્યક્તિનું મૃત્યુ હોય કે અન્ય કશું પણ તે નાયક-નાયિકાના પૂર્વાશ્રમનું ચિત્ર પણ સંક્ષેપમાં ઉપસાવી આપે છે. પછી ઉત્તરોત્તર તેવી સાધુતા કેવી દીપ્તિ પ્રકટ કરતી રહે છે, તેના કેવા કેવા નૂતન ધર્મ-જીવન-સમાજ-લોકકલ્યાણ સંદર્ભે આયામો Jain Education International २६ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy