SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કેવો પ્રભાવ વિસ્તરે છે, તેમની મધુર ભાષા, દંભનો પર્દાફાશ કરી ધર્મપિપાસુઓને સમ્યક્ ધર્મદર્શન કેવી અસરકારકતાથી કરાવતા વગેરે વગેરેનાં હૃદ્ય ચિત્રો અહીં ઊપસ્યાં છે. પાઠશાળાઓ ચાલુ કરવાની, જૈનધર્મપ્રસાર સંસ્થાઓ ઊભી કરવી, જૈનધર્મ પ્રકાશ’ પથનો આરંભ કરવો વગેરે અનેક બાબતો પણ અહીં ચિરત્રમાં સમુચિત રીતે ઉલ્લેખાઈ છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ચિરત્ર એમ સુવાચ્ય સાથે રસાવહ બન્યું છે. શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજા ચિરત્ર પણ એવું જ રસાળ બન્યું છે. ચિરત્રનાયકને પાદરામાં બાલ્યકાળથી જ જૈનધર્મનું પવિત્ર વાતાવરણ કેવી રીતે મળ્યું હતું, દીક્ષા માટે પોતાનાં નવાં કપડાં પણ કાતરથી ફાડી નાખવા કેવી રીતે તૈયાર થયા હતા, દીક્ષા પછી તેમનું હૃદયદ્રવ્ય અને હૃદયસત્ત્વ કેવી કાંતિ ધારણ કરે છે, દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્યાં વગેરે વિષયોમાં તેમનું ચિંતન-વિમર્શન કેવું આગવું હતું વગેરે અનેક બાબતોનો ગુમ્ફ શ્રી વિયરામચંદ્રસૂરિ મહારાજના ચરિત્રને ગતિશીલ બનાવે છે. ‘પૂ.શ્રી પુણ્યવિજયજી મહારાજ'નું ચરિત્ર પણ આસ્વાદ્ય બન્યું છે. મહારાજશ્રી તરીકે જાણીતા થયા તે પૂર્વેનું કપડવણજનું મણિલાલ નામધારી બાળજીવન, પરિવારનો પરિવેશ, સાધુજીવન પછીની મહારાજશ્રીની વિનમ્રતા, તેમની નાજુક તબિયત અને તેના પ્રશ્નો, વાત્સલ્યસભર વાણી, મધુર સ્વરના પ્રભાવક વાર્તાલાપો આ બધું અહીં યશવકાશે સહજ રીતે પ્રસ્ફુરિત થતું રહ્યું છે. મહારાજશ્રીના અંગત સંબંધ-સંપર્કે લેખકનો તેમના પ્રતિનો સાચકલો પ્રેમભાવ પણ અહીં રચનાના એક ભાગરૂપે સાદ્યંત પ્રવહતો જણાય છે. પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ પણ લગભગ ધર્મપુરુષોનાં ઉ૫૨ જોયેલાં ચરિત્રોની ઘાટીએ જ લખાયેલું એક વધુ સુવાચ્ય અને સાફસૂથરું ચિરત્ર છે. અહીં પણ પૂ. તત્ત્વાનંદવિજ્યના પૂર્વજીવનની માંડીને વાત થઈ છે. પચ્ચીસ વર્ષની ઉંમરે દીક્ષા લઈ, દીક્ષાપૂર્વે આઠેક ભાષાઓમાં તેમનું કેવું પ્રભુત્વ હતું તે દર્શાવ્યું છે. નવકારમંત્રનું તેમણે પોતીકી રીતે અર્થઘટન કરી તેનો સૂક્ષ્મ મર્મકોશ કેવી રીતે છતો કરી આપ્યો હતો તેની અહીં નોંધ લીધી છે. તો તેમની યોગવિદ્યા વિશેની, પૂર્વાભાસ વિશેની પણ કેટલીક અંગત કહી શકાય તેવી વાતો લેખકે જાતઅનુભવને આધારે ભાવપૂર્વક આલેખી છે. - ‘શ્રી અજરામરસ્વામી' ચરિત્ર પણ પ્રેરક બન્યું છે. ધર્મક્ષેત્રે અનેક કાર્યો કરનાર અને જૈન તેમજ અનેક ભારતીય દર્શનોના અભ્યાસી, નાનપણમાં જ આખું પ્રતિક્રમણ મોઢે કરી નાખનાર, ગોંડલનરેશ પણ જેમના દીક્ષાસમાોહમાં ઉપસ્થિત રહ્યા હતા, મંત્રતંત્રના જાણકાર, આગમ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, સંપ્રદાયમાં Jain Education International २५ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy