SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ અનેક પુષ્પોનો રસ માણી મધપૂડો બાંધીને સઘળાનો એક સ્થળે અમૃતસ્વાદ કરાવે છે તેવું જ કંઈક અહીં પસંદ કરેલાં થોડાંક ચરિત્રો વિશે પણ કહી શકાય. પણ એનો રસ ચાખ્યા પછી રમણલાલની ચરિત્રવાડીના બધા જ સંકેતો આપણને મળી રહે છે. ગુજરાતી ચરિત્રસાહિત્યમાં તેનો લેખક પોતાનો આગવો પાટલો તે વડે નખાવી શકે તેવું આ ચરિત્રોનું સત્ત્વ-વિત્ત છે તે પણ આ વાંચતાં સમજાશે. (૫) આ ચરિત્રગ્રંથમાં સમાવિષ્ટ કરેલાં પ્રથમ આઠ ચરિત્રો એક યા બીજા સ્વરૂપે પ્રાતઃ સ્મરણીય લેખી શકાય તેવી વિભૂતિઓનાં છે. પૂજનીય જૈન સાધુ-સાધ્વી-સંતોનું વિચા૨કર્મ અને જીવનકર્મ તેમાં શબ્દસ્થ થયું છે. આવાં ચરિત્રોની વિશેષતા એ છે કે તેમાં કેવળ પ્રસંગ-માહિતી કે ઘટનાઓ જ છે એવું નથી. પણ એવી ઘટનાઓપ્રસંગોની પડછે ચરિત્રનાયક કે નાયિકાનું બાહ્ય સાથે આંતર વ્યક્તિત્વ કેવી સમુજ્વલતા સાથે પ્રકાશે છે અને તેનો પ્રભાવ અનુયાયી કે ભાવિક ભક્તો ઉ૫૨, જૈન સંપ્રદાય ઉ૫૨ કેવો પડે છે તે પણ હદ્ય રીતે દર્શાવ્યું છે. સાથે આ પ્રકા૨નાં ચરિત્રોમાં લેખકનું સાત્ત્વિક, ભાવનાપરાયણ, જૈન મુનિઓનો આદર-વંદન-પ્રણામ કરતું વ્યક્તિત્વ પણ ફોરતું રહે છે. કહો કે ધર્મપુરુષોનાં આ ચરિત્રો લખવા ખાતર લખાયાં નથી. ધર્મતત્ત્વના જ્ઞાતા, જિજ્ઞાસુ એવા રમણલાલનો હૃદયસ્પંદ પણ તેમાં સતત કંપ અનુભવ્યા કરે છે. જે આ પ્રકારનાં ચરિત્રોને સુચારુ રૂપ આપી રહે છે. શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના ચિરત્રમાં લેખકે તેમના સૂરિ થતાં પૂર્વેના જીવનની ઘટનાઓને સ-૨સ રીતે વર્ણવી છે. કણબી કોમમાં બહેચરદાસ નામે જન્મેલા અને પાછળથી દીક્ષા લઈ જૈનધર્મના મોટા પ્રવર્તક તરીકે ઓળખાયેલા અને બુદ્ધિસાગરસૂરિ તરીકે પંકાયેલા – આ મહાન આત્માને તેમણે અનેક નાની-નાની વિગતોથી મંડિત કર્યો છે. તેમનો જીવનક્રમ, તેમની શિખામણો, તેમના વિશેના ચમત્કારો, તેમની અભ્યાસપરાયણતા, તેમનું વસ્ત્રપરિધાન, વ્યાખ્યાનશક્તિ, સર્વધર્મ પ્રત્યેનો તેમનો સમભાવ – એ સર્વની એક સુગઠિત છબી અહીં ઊપસી રહી છે. રમણલાલની વાર્તાકથનશક્તિનો લાભ આ ચરિત્રને ઠીક ઠીક મળ્યો છે. ઉપલબ્ધ સામગ્રીને વિવેકપુરઃસ૨ રજૂ કરવાનું લેખકનું કૌશલ અને એ વડે અપેક્ષિત ચરિત્રરેખાઓને પ્રત્યક્ષ કરી આપતું ગદ્ય બુદ્ધિસાગરસૂરિના વ્યક્તિત્વને સજીવ બનાવી રહે છે. સંસારની અસારતાને આરંભથી જ પામી ચૂકેલા પંજાબના કૃપારામ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે ક્રમશઃ નિજને કેવી રીતે ઉત્ક્રાન્ત કરતા રહે છે, જિનપ્રતિમામાં તેમની શ્રદ્ધા કેવી દૃઢ બને છે, વિવિધ સ્થળે જતાં બાળકો ઉપર તેમનો Jain Education International २४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy