SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બને. બંનેનું રુચિર સંતુલન જ ઉત્તમ ચરિત્રનું નિર્માણ કરે. એવું ચરિત્ર જ વાચક માટે નૈતિક અસર ઊભી કરી શકે, વાચક પ્રેરકબોધ પામી શકે, પોતાના જીવનના કોઈક બંધ કમાડને ઉઘાડવાનો તે કીમિયો શીખી શકે. રમણલાલનાં આ બધાં ચરિત્રોનો વિચાર કરીએ છીએ ત્યારે નવલરામકથિત પેલાં સત્ય, શોધ, વિવેક અને વર્ણનની શરતો તો પળાતી જોવા મળે છે જ પણ રમણલાલનાં આ ચરિત્રોની ઘાટી કંઈક જુદી છે. એમ પણ કહી શકાય કે રૂઢ અર્થમાં જે ચરિત્રો મળે છે તેનાથી આ ચરિત્રોની ભાત થોડીક જુદી છે. એ ભાત રમણલાલી છે. કહો કે આ ચરિત્રો રમણલાલની પોતાની ચાલનાએ લખાયેલાં છે. જુદે જુદે સમયે તેમણે જુદે જુદે સ્તરેથી આવાં ચરિત્રોને આકારિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના એવા આશયને લક્ષમાં લઈને જ પ્રસ્તુત સંગ્રહનાં ચરિત્રોને જોવાં રહે. જેમકે બેરરથી બ્રિગેડિયરમાં તેઓ નોંધે છે તેમ, તેમાં આત્મલક્ષી પ્રકારના અંગત અનુભવો સાથે રેખાચિત્રો અને ટૂંકી વાર્તાનો સમન્વય કરવાનો પ્રયોગ કર્યો છે. સત્ય ઘટનાત્મક વસ્તુ તો ત્યાં છે જ, સાથે અપેક્ષિત સર્જનાત્મકતા પણ ત્યાં છે. તો તેમનાં કેટલાંક ચરિત્રો શ્રદ્ધાંજલિ-લેખો રૂપે બની આવ્યાં છે. ખાસ કરીને સાહિત્યકારો, કેળવણીકારો, સમાજસેવકો વગેરેનાં ચરિત્રોમાં કંઈક એવી છાંટ જોવા મળે છે. કેટલાંક સાધુ-સાધ્વી, સંત, સતી ઉપરનાં ચરિત્રો પણ શ્રદ્ધાંજલિના નિમિત્તે લખાયાં છે. રમણલાલનો જીવનરસ અનેક માર્ગોમાં વહેતો રહ્યો છે. અનેક વ્યક્તિઓના સંપર્કમાં તેથી તેઓ આવ્યા છે, તેમનાથી પ્રભાવિત થયા છે, કેટલાકની સાથે ઘનિષ્ઠ સંબંધ પણ બંધાયો છે. પોતાના ઘડતરની ભૂમિકા પણ તેમાં તેઓ જુએ છે. એવા વ્યક્તિત્વોમાંથી પ્રસંગોપાત્ત તેઓ પ્રેરણા પણ પામતા રહ્યા છે. કેટલીક વ્યક્તિઓ સાથે એમ તેઓ હૃદયથી પણ જોડાયેલા રહ્યા છે. આ રીતે અહીં તેઓ જે કંઈ લખે છે તેમાં તેમનો જીવંત સંપર્ક, અંગત સ્પર્શ, પેલો હૃદયસંબંધ, તેનો પ્રભાવ વગેરે વગેરે વાંચી શકાય. તેઓ તેથી પેલી ચરિત્ર કોષ્ટકની રેખાઓ તોડી જીવનની રૂપરેખા કે સાહિત્યની મુલવણી કરતાં અંગત પ્રસંગોને તેમાં વિશેષ સ્થાન આપે છે. એ રીતે આ ચરિત્રો સાદી ભાષામાં કહેવું હોય તો રમણલાલીય ચરિત્રો છે. તેમની આંખે અને આત્માએ આપણે જે તે વ્યક્તિઓ ને તેમનાં ચરિત્રોને પામવાનાં રહે છે. એમની સર્જનવાડીમાં આમ તો ભાત ભાતનાં ચરિત્રપુષ્પો છે. એ પુષ્પોની મહેક માણવી ગમે તેવી છે. પણ અહીં આ ચરિત્રગ્રંથમાં પૃષ્ઠમર્યાદાને કારણે એ સઘળું એકસાથે આપવું શક્ય નહોતું. તેથી અહીં મધમાખી જેવો ખેલ કર્યો છે. મધમાખી २३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy