SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તો શૂન્યમાંથી સર્જન કરનારા માણસો તેમ કેમ કરી શક્યા, રોગગ્રસ્તો રોગમાંથી મુક્ત થઈ લડવૈયા-સશક્ત વ્યક્તિ કેમ બની શક્યા, સ્ખલનોનો ભોગ બનેલ માણસ તેમાંથી બહાર નીકળી મોટી વ્યક્તિ કેવી રીતે થઈ શક્યો, અથવા નિર્ધન માણસ સંઘર્ષોમાંથી પોતાના જીવનને કેવી રીતે ઘડી શક્યો વગેરે વગેરે બાબતો આવાં ચરિત્રો કે આત્મકથા વાંચતાં સમજાય. વ્યક્તિચરિત્રો એ રીતે તંદુરસ્ત સમાજ કે તંદુરસ્ત વ્યક્તિનિર્માણ માટે ‘ટોનિક' બની રહે છે. તેમાં કલ્પના નથી વાસ્તવ છે. પણ એ એવું વાસ્તવ છે જે Stranger than fiction પુરવાર થાય. અહીં આવી વિવિધ ક્ષેત્રની કેટલીક વ્યક્તિઓનાં સુઘડ ચરિત્રો આપણને જે તે વ્યક્તિવિશ્વમાં તો પ્રવેશ કરાવે છે જ પણ સાથે સાથે એ વ્યક્તિ સાથે અનુસંધિત અન્ય વિશ્વોમાં પણ રોમહર્ષણ પદાર્પણ કરાવે છે. આવું વાંચન જુદી જુદી વય-કક્ષાની વ્યક્તિઓ માટે આનંદની સાથે પ્રેરણા પણ પૂરી પાડનાર બની રહે છે. નવી પેઢી સામે આજે આવું ચરિત્ર-આત્મકથાત્મક વધુ ને વધુ પ્રસ્તુત કરવું પડે તેવા દિવસોમાંથી જગત પસાર થઈ રહ્યું છે. એ રીતે આવા સંપાદનની મહત્તા સ્વયં વધી જાય છે. (૩) ‘ચિરત્ર’ અને એના લેખક પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રખાતી હોય છે. એમાં ક્યારેક જાણીતી વ્યક્તિઓની કથની હોય છે તો ક્યારેક ભાગ્યે જ જાણીતી હોય તેવી, કોઈ ખૂણામાંથી ઊંચકાઈ આવતી વ્યક્તિઓ પણ હોય છે. અલબત્ત, એ વ્યક્તિ પોતાની રીતે ‘વિશિષ્ટ’ હોવી ઘટે. તેમાં વૃત્તાંત તો છે પણ તેમાં ચઢાવઉતાર પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. ભીતર-બહારને પ્રકટ કરે તેવી ક્ષણો પ્રસંગોનું પણ એમાં માહાત્મ્ય રહ્યું છે. પેલા વિકસતા, પલ્લવિત થતા આત્માની છબી પણ એટલી જ અગત્યની. સાથે પાર્શ્વભૂમાં પિરવાર, સમાજ પણ અત્રતત્ર ઊઘડતાં રહે. આવું ચિત્રણ સપાટ ન હોય, કળામય હોય. ઉદ્દેશ ભલે વીરપૂજાનો હોય, માનવઅભ્યાસનો, અનુભવબોધનો કે સ્વજનપ્રેમનો હોય પણ ચરિત્રમાં એવું કશુંક હોવું જોઈએ જેથી વાચકને રસ પડે, એ વડે સત્યાંશો, જીવનાંશો ઉજાગર થતા હોય. નવલરામ ચરિત્રના લેખન માટે સત્ય, શોધ, વિવેક, વર્ણન – એ ચારે વાનાંને અનિવાર્ય લેખે છે. અને એ સાચું પણ છે. શાસ્ત્રીયતા એનો પાયો છે તો સર્જનાત્મકતા તેનું ગંતવ્ય છે. આ રીતે ચિત્રલેખન કંઈક અઘરી બાબત બની જાય છે. બજાણિયો જો સંતુલન રાખવામાં નિષ્ફળ જાય તો તે પડ્યો જ જાણો. એવું જ અહીં ચિરત્રસાહિત્યમાં છે. કેવળ શાસ્ત્રીયતા હોય તો તે ન ચાલે તેમ કેવળ સર્જનાત્મકતા હોય અને શાસ્ત્રીયતાનો અભાવ હોય તો તે પણ નિર્વાહ્ય ન Jain Education International २२ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy