SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યું. મારા માટે તો એ જ સાચી ઉપલબ્ધિ છે. (૨) કોઈકને આવા સંપાદનમાં પ્રવેશતાં પૂર્વે એવો પ્રશ્ન થઈ શકે – ચરિત્રનાં સંપાદનોની આજે પ્રસ્તુતતા કેટલી? અને આવા પ્રશ્નનો ઉત્તર આપનારની સામે પછી અનેક બાબતો સામે આવી રહે. ઉદારીકરણના આપણા સમયમાં માણસ હવે ધીમે ધીમે એની સ્વકીય કહી શકાય તેવી ઓળખ ગુમાવતો જાય છે. મિડિયા અને એની સાથે સંબંધિત અન્ય માધ્યમો માણસને હવે વધુ અને વધુ વામણો બનાવતાં જાય છે. અણુનો પર્વત અને પર્વતનો અણુ – એવી સ્થિતિનું કંઈક અવળેથી નિર્માણ થઈ રહ્યું છે. સાહસ, પ્રેરણા, શૌર્ય, નીતિ, સદાચાર, સમુદારતા, પ્રેમ કશુંક ઉત્તમ કરવાની ધગશ વગેરે દિવસે દિવસે ઘટતાં જાય છે. માણસ ફરીથી જાણે કે માટીનું પૂતળું જ હોય એવું સિદ્ધ કરવાની સ્પર્ધામાં હોય એવા દિવસોના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આવી પરિસ્થિતિથી સવેળા જાગી જવા જેવું છે. માણસને માણસ હોવાનું ગૌરવ થાય, પોતે માણસ છે તેથી અનેક દિશાઓમાંથી શુભંકર એવું પામી મનુષ્ય તરીકે વજનદાર ડગલું ભરી ઈશ્વર તરફની કેડી પ્રતિ ગતિ કરે, અથવા ઉત્તમ વ્યક્તિઓનું સ્મરણ કરતાં કરતાં એની પણ એવી દિશા હોય – આ કે આવું કશુંક વાતાવરણ રચાય, પેલા બજારુ વિકલ્પોની સામે, કશાક નક્કર વિકલ્પો આવી મળે એ હવે બહુ જરૂરી બન્યું છે. પશ્ચિમમાં છેલ્લાં થોડાંક વર્ષોમાં નવલકથાકાર, નાટ્યકાર આવી કોઈ મથામણના ભાગરૂપે જ જીવનચરિત્રો કે આત્મકથાની સામગ્રીનો વધુ ને વધુ લાભ લેતો જોવા મળે છે. આવી કૃતિઓ પરિચિત અથવા ઓછી પરિચિત વ્યક્તિના સંઘર્ષમય, નાટ્યક્ષમ ક્ષણોની આવન-જાવનવાળા પ્રસંગોને કારણે કે માનવસહજ નિર્બળ ક્ષણોનાં તેમાં આવતાં વર્ણનોને લઈને તે વાંચવા તરફ વિશેષ રૂપે વળે છે, તેની સાથે પોતાના જીવનનો તાળો મેળવે છે, પોતાનાં અલનો માટે આશ્વાસન લે છે. તો પેલા ચરિત્ર કે આત્મકથાના નાયકે સ્વપ્રયત્ન જે કંઈ સંસિદ્ધ કરવા માગે અપનાવ્યા છે, પોતાના જીવનને કસોટીની સરાણે ચઢાવી છે – તેવું પેલો વાચક પણ ક્યારેક કરવા પ્રયત્ન કરે છે. કહો કે પેલું ચરિત્ર કે આત્મકથા તેના માટે પ્રેરણાપીયૂષ બની રહે છે. નવી પેઢી સામે પોતાની ઓળખ માટે, મનુષ્ય શું છે, કેવો હોવો જોઈએ વગેરેનાં સાદાં સમીકરણોની જાણ માટે આવું સાહિત્ય ઘણીબધી રીતે પોષકબ્રેરક બની રહે તેમ છે. એ રીતે સાહિત્યનાં અન્ય સ્વરૂપોને મુકાબલે તથ્ય-સત્ય-વાસ્તવને પોતાની ઊંડળમાં લઈને વિશેષ રૂપે કોઈ સ્વરૂપ વધુ વિકસતું, ઊછળી આવતું જણાતું હોય તો તે ચરિત્ર કે આત્મકથા છે. સાદી ભાષામાં કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy