SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય ચરિત્રનો મધપૂડો (૧) રમણલાલના દેહાવસાનના સમાચાર જાણ્યા. અંગત રીતે મને અને મારા પરિવારને તેથી ખૂબ દુઃખ થયું. કેવું આશ્ચર્ય છે ! હું અને રમણલાલ પ્રત્યક્ષ રીતે મળ્યા નથી. છતાં અમારો પત્રવ્યવહાર સદા રહ્યો. તેમણે તેમનાં મોટા ભાગનાં પ્રકાશનો પણ મને સંભાવપૂર્વક મોકલ્યા કર્યા. પ્રબુદ્ધજીવન' પણ મને નિયમિતપણે મળે. ક્યારેક તેમના આગ્રહથી લેખ પણ મોકલું. અંદરથી અમારો આવો કાચા સૂતરના તાંતણાનો નાજુક પ્રેમ. એમના માટે મને તો ભારે આદર ખરો જ, પણ તેમનો સ્નેહભાવ પણ મારા માટે સામે એટલો જ. તેમના દેહાવસાનથી લાગ્યું કે મેં એક સ્વજન ગુમાવ્યો, જૈનસમાજે એમનો રાહબર ગુમાવ્યો, ગુજરાતી ભાષાએ એક ભાષાપ્રેમી અને સત્ત્વ-તત્ત્વ સભર લેખક ગુમાવ્યો અને પ્રો. જશવંત શેખડીવાળા જેવા અનેકોએ એમનો મિત્ર ગુમાવ્યો. - હા, આ જશવંત શેખડીવાળાએ જ આવા દિવસોમાં ફોન કર્યો પ્રવીણભાઈ, હવે રમણભાઈ નથી. એમના સંગ્રહોમાંથી પાંચ-છ જેટલાં સંપાદન કરવાનાં છે. તમે, હું, હસુ યાજ્ઞિક, પ્રસાદ બ્રહ્મભટ્ટ વગેરેએ એ કાર્ય કરવાનું છે. રમણભાઈની પણ હયાત હતા ત્યારે તેવી ઇચ્છા હતી – અને મેં ફોન ઉપર તરત જ હા પાડી. ડો. ધનવંતભાઈ શાહનો એમાં પ્રેમ ઉમેરાયો. તારાબહેનની એમાં ભાવના ભળી અને આજે તમારી પાસે તેમનાં ઉત્તમ ચરિત્રોનો આ જે સંગ્રહ છે તે તેનું પરિણામ. આ પ્રક્રિયા એકસાથે રમણલાલના સર્જનમાંથી પસાર થવાનું બન્યું એ રીતે આનંદરૂપા રહી, તો બીજી રીતે અનેક દશાંગુલ ઉચ્ચ કે કોઈપણ રીતે વિશેષરૂપ એવી વ્યક્તિઓના સંપર્કમાં મુકાવાનું પણ બન્યું. સાથે રમણલાલની ખુદની ભાવસંવેદનાઓમાં પણ સતત ઝબકોળાવાનું ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy