SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ બેસી ગયો હતો. વર્ષો પહેલાં એ જોષીએ એમને કહેલું કે “તમારું આયુષ્ય ૬૪ વર્ષનું છે.” ૬૪મા વર્ષને તો હજુ ઘણી વાર હતી એટલે કંઈ ફિકર નહોતી પરંતુ બાસઠમા વર્ષથી બચુભાઈ પોતાના મૃત્યુ વિષે વધુ પડતા સભાન બની ગયા હતા. ૬૪મું આખું વર્ષ ચિતામાં કાઢ્યું. અલબત્ત, કામ તો બધું બરાબર રોજ કરતા, પણ માથે ભાર રહેતો. પરિણામે તબિયત પણ થોડી બગડી. અંતે ૬૪મું વર્ષ પૂરું થયું ત્યારે એમની ચિંતા ટળી. પછી તો એ જ ઉત્સાહથી એમનું કામ ચાલ્યું. બચુભાઈને વિદેશ જવાની તક મળી. એ એમના જીવનનો અનેરા ઉલ્લાસનો પ્રસંગ હતો. જે જે સ્થળો, મ્યુઝિયમો, કલાકૃતિઓ વિશે વર્ષોથી પોતે “કુમાર”માં પરિચય આપતા રહ્યા હતા એ બધું નજરે જોવાની એમને તક સાંપડી. એને પરિણામે ઘણી બધી નવી સામગ્રી તેઓ ‘કુમાર' માટે ત્યાંથી લેતા આવ્યા. ૧૯૭૭માં બીજી વાર તેઓ લંડન ગયા ત્યારે હું ત્યાં એમને મળ્યો હતો. પરંતુ ઉંમર, ઠંડી અને અવરજવરની પરતંત્રતાને કારણે પહેલા જેવી બીજી વારના પ્રવાસમાં એમને મજા આવી નહોતી. એક વખત અમદાવાદ થઈને પાલીતાણા શત્રુંજયની જાત્રાએ હું જતો હતો. બચુભાઈને મળવા ગયો. વાત નીકળી. શત્રુંજયનાં મંદિરો પોતે હજુ જોયાં નથી એમ કહ્યું. શત્રુંજય વિશે “કુમારમાં આટલું બધું લખનાર એના કલામર્મજ્ઞ તંત્રીને અમદાવાદથી આટલું પાસે હોવા છતાં ત્યાં જવાની તક નહોતી મળી. મેં ત્યાં લઈ જવા માટે દરખાસ્ત મૂકી, એમણે ના પાડી, કારણ કહ્યું કે પોતાને પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફ છે. એટલે વારંવાર પેશાબ કરવા જવું પડે. પ્રવાસમાં એ ફાવે નહિ. વળી ઠંડી પણ સખત હતી. વાત મુલતવી રહી. બીજી વાર મારાં પત્ની સાથે હું અમદાવાદ ગયો હતો ત્યારે ખાસ ગાડીની વ્યવસ્થા કરી બચુભાઈને અને એમનાં પત્નીને શત્રુંજયની યાત્રા કરાવી. એમને બહુ આનંદ થયો. પાછાં ફરતાં વાત નીકળી. એમને મહુડીના ઘંટાકર્ણ વીરમાં ઘણી શ્રદ્ધા હતી. પણ ઘણાં વર્ષથી ત્યાં જવાની તક મળી નથી. અને હવે તબિયતને કારણે ખાસ વ્યવસ્થા હોય તો જ ત્યાં જઈ શકાય. બીજી વખત અમે ખાસ ગાડીની વ્યવસ્થા કરાવીને સાથે લઈ જઈ મહુડીની જાત્રા પણ એમને કરાવી. જાત્રા પછી બચુભાઈએ મને પત્રમાં જણાવ્યું, “મહુડીની જાત્રા મને તો સરસ ફળી છે. ઘણાબધા અણધાર્યા લાભ થયા છે. ઘંટાકર્ણ દેવે આટલી બધી મને અણધારી સહાય કરી છે એટલે ફરી દર્શન કરવા જવાની ભાવના છે.” પત્ર મળ્યો એટલે બીજી વાર એમને મહુડી લઈ જવાની ગોઠવણ કરી. હું મુંબઈથી અમદાવાદ આવ્યો અને એમને મળ્યો. તેઓ પથારીવશ હતા. પ્રવાસ ન કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી. પરંતુ નક્કી કર્યું હતું એટલે મેં એક રસ્તો સૂચવ્યો. બચુભાઈ રાવત - ૧૬ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy