SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ એમના બંને પુત્રો મારી સાથે મહુડી આવે. બરાબર સવારના અગિયારના ટકોરે અમારે સુખડીનો થાળ ધરાવવો અને એ જ સમયે બચુભાઈએ પથારીમાં સૂતાં સૂતાં ઘંટાકર્ણ વીરને મનમાં પગે લાગવું. એ પ્રમાણે અમે કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો. બચુભાઈને એથી બહુ જ સંતોષ થયો હતો. બચુભાઈનાં અંતિમ વર્ષોમાં એટલું કર્તવ્ય કર્યાંનો અમને સંતોષ થયો. બચુભાઈ વિશે લખતાં એમના જીવનના કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! શાળામાં બચુભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે એમને વાંચવામાં એક અંગ્રેજી વાક્ય આવ્યું હતું : બધા માણસો મહાન નથી થઈ શકતા, પણ બધાં માણસો સજ્જન જરૂર થઈ શકે છે. બચુભાઈએ આ વાક્યને પોતાના જીવનના એક આદર્શ તરીકે સ્વીકારી લઈને સજ્જન બનવાનો પુરુષાર્થ ખેડ્યો હતો. બચુભાઈ સજ્જન થયા અને જીવનભર રહ્યા, પણ સાથે સાથે મહાન પણ થયા. પરિણામે આપણને એક મહાન-સજ્જન' સાંપડ્યા. (વંદનીય હૃદયસ્પર્શ’માંથી) Jain Education International ૧૬૨ * ચરિત્રદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy