SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાનંદભાઈ સાથે પ્રવાસ કરવાની જુદી જ મજા આવે. એમના સરળ, નિખાલસ, નિર્દભ વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય. નાનાં-મોટાં સૌની સાથે હળીમળીને તેઓ નિરાંતે વાતો કરે. પ્રવાસમાં પણ પ્રાસંગિક પ્રવચનો ઇત્યાદિ ગોઠવીને, ભરચક કાર્યક્રમો યોજીને પ્રવાસને તેઓ મધુર, સંસ્મરણીય બનાવતા. પછીના દિવસોમાં મોંઘવારીના કારણે પ્રવાસના કાર્યક્રમ જલદી ગોઠવાતા નહિ, તેનો રંજ યુવક સંઘની સમિતિમાં તેઓ વ્યક્ત કરતા. પરમાનંદભાઈની સાથે એમનાં પત્ની વિજયાબહેનનું અચૂક સ્મરણ થાય. પરમાનંદભાઈના જાહેર જીવનને કારણે ઘરે મહેમાનોનો ધસારો નિરંતર ચાલ્યા કરતો હોય. એ બધાંની આગતાસ્વાગતા કરવામાં વિજયાબહેન હંમેશાં તત્પર રહેતાં. તેઓ સુશિક્ષિત હતાં અને બધા જ વિષયોમાં રસ લેતાં. ક્યારેક એમના ઘરે ગયા હોઈએ અને પરમાનંદભાઈ ન મળે તો વિજયાબહેનની સાથે વાતચીત કરતાં કલાક ક્યાં વીતી જાય તેની ખબર પડતી નહિ. વિજયાબહેન વ્યવહારકુશળ અને દષ્ટિસંપન્ન હતાં. પરમાનંદભાઈના જીવન-વિકાસમાં વિજયાબહેનનો ફાળો ઘણો મોટો હતો. પરમાનંદભાઈ એટલે બહુમુખી વ્યક્તિત્વ. પરમાનંદભાઈ એટલે સત્યના અને સૌંદર્યના પૂજારી. પરમાનંદભાઈ એટલે પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, મતાંતરક્ષમા, નિર્દભતા, નિર્ભીકતા, વત્સલતા વગેરેથી ધબકતું જીવન. એમનું વ્યક્તિત્વ એવું ચેતનવંતું હતું કે હજીયે એમની સાથેના કેટકેટલા પ્રસંગો જીવંત બનીને નજર સામે તરવરે છે. પરમાનંદભાઈ કાપડિયા ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy