SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ સામાજિક પ્રસંગે આવવા માટે મને બહુ જ આગ્રહ કર્યો છે. જવાની મારી ઇચ્છા નથી, કારણ કે એમના વર્તુળના કે એમની જ્ઞાતિના લોકોમાંથી ખાસ કોઈને હું ઓળખતો નથી, પરંતુ આગ્રહ એટલો બધો છે કે ગયા વગર છૂટકો નથી. મારી ઇચ્છા છે કે તમે સાથે ચાલો.” - અમે બંને ગયા. પરિચિત યજમાને અમને સારો આવકાર આપ્યો. પરંતુ એમણે પોતાની જ્ઞાતિના જે જે આગેવાનો સાથે પરમાનંદભાઈનો પરિચય કરાવ્યો તે કોઈ પરમાનંદભાઈને નામથી પણ ઓળખતા નહોતા. એમની સાથે વાતનો દોર પરમાનંદભાઈ ચાલુ રાખે, પરંતુ પેલી અજાણી વ્યક્તિઓને કોઈ વાતમાં રસ પડે નહિ અને કોઈ વિષયની તેઓને જાણકારી પણ નહિ, એટલે વાત ઘડીકમાં અટકી પડે. આથી યજમાનને પણ ક્ષોભ થતો, પરંતુ પરમાનંદભાઈએ કહ્યું, “ભાઈ, તમે અમારી ચિંતા કરશો નહિ. અમે અમારી મેળે બધી જ વ્યવસ્થા કરી લઈશું.” પછી હું અને પરમાનંદભાઈ એક બાજુ બેસીને અમારી વાતોએ વળગ્યા. પરમાનંદભાઈએ કહ્યું, “હું તમને મારી સાથે એટલા માટે જ લાવ્યો, કારણ કે આપણું કોઈ પરિચિત વર્તુળ નથી. અહીં આવનારાં બધાં માણસો અને એમની જ્ઞાતિના આગેવાનો નોકરિયાત વર્ગના અને સામાન્ય કક્ષાના લાગે છે. આપણા કોઈ વિષયમાં એમને રસ પડે નહિ એટલે એમની સાથે આપણી વાત ઝાઝી ચાલી ન શકે." થોડી વાર પછી જમવાનું પત્યું એટલે અમે તરત ત્યાંથી વિદાય થઈ ગયા. કોઈ પણ કાર્યક્રમનું આયોજન સારામાં સારું કઈ રીતે કરવું તેની મૌલિક સૂઝ પરમાનંદભાઈમાં હતી. જુદા જુદા ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સામેથી મળવા જઈને તેમની સાથે વિચારવિનિમય કરવાની ઉત્સુકતા તેમની રહેતી. તેવી રીતે વિભિન્ન સંસ્થાઓ તરફથી વખતોવખત યોજાતા જાહેર કાર્યક્રમોમાં હાજર રહીને તેના આયોજન અને રજૂઆતમાંથી પણ કશુંક નવું ગ્રહણ કરવાની વૃત્તિ પણ તેમને હંમેશાં રહેતી. પરમાનંદભાઈના અનેક મિત્રો અનેક સાથીઓ હતા. અને ક્યાંક જવું હોય ત્યારે અથવા પોતાના ઘરે કોઈ વિશિષ્ટ મહેમાન પધારવાના હોય ત્યારે મિત્રો અને સંબંધીઓને તેઓ આગ્રહપૂર્વક બોલાવતા. સારી વસ્તુનો આનંદ પોતે એકલા ન માણતાં, બીજાં ઘણાંને તેમાં સહભાગી બનાવવા તેઓ હંમેશાં તત્પર રહેતા. પરમાનંદભાઈને પ્રવાસનો શોખ ઘણો હતો. યુવક સંઘ તરફથી વખતોવખત એકાદ નાનો-મોટો પ્રવાસ એમણે જરૂર ગોઠવ્યો હોય. પોતાના વિશાળ સંપર્કના કારણે પ્રવાસનું આયોજન પણ તેઓ સરસ, સગવડભર્યું, સભ્યને પોષાય તેવું કરતા. ચીંચવડ હોય કે કાશમીર, માથેરાન હોય કે કચ્છ, લોનાવલા હોય કે વજેશ્વરી, ૧૧૬ એક ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy